Skip to content
March 21, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

સમાજના છેવાડાના માનવીને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાની પ્રતિબદ્ધતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની દરેક કલ્યાણ યોજનાઓનો મુખ્ય હેતુ છે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

H S August 21, 2022
21 cm main

સમગ્ર ગુજરાતના રાવળયોગી સમાજ સાથે ગાંધીનગરમાં

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્નેહમિલન

યોજ્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સમગ્ર ગુજરાતના રાવળયોગી સમાજના સ્નેહમિલનમાં
જણાવ્યું કે છેવાડાનો માનવી પણ વિકાસની મુખ્ય ધારામાં આવે તેવી પ્રતિબદ્ધતા સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ
મોદીની નેતૃત્વની કેન્દ્ર સરકારે દરેક કલ્યાણ યોજનાઓ ઘડી છે.

વડાપ્રધાનશ્રીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસનો જે મજબૂત
પાયો નાખ્યો છે, તેને ટીમ ગુજરાત તરીકે અમે આગળ ધપાવી રહ્યા છીએ અને નાનામાં નાના માનવીને પડતી
મુશ્કેલીઓ દૂર થાય તેવા સંકલ્પ સાથે અમે કાર્યરત છીએ.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિનો જે નવો યુગ શરૂ કર્યો છે
તેના પરિણામે સૌ સમાજ-વર્ગો હવે કોઈ પ્રલોભનો કે લોભ લાલચમાં ખેંચાવાને બદલે શ્રી નરેન્દ્રભાઈના
માર્ગદર્શનમાં દરેક ક્ષેત્રે વિકાસ માટે પ્રતિબદ્ધ થયા છે. ધરાતલ સાથે જોડાયેલો આ રાવળયોગી સમાજ પોતાના

પરંપરાગત વ્યવસાયો સાથે હવે તેમના સંતાનોની શિક્ષણ દ્વારા વિકાસના રાહે કારકિર્દી ઘડે તેવી અપીલ કરતા
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર પણ વિવિધ યોજનાઓથી જરૂરતમંદોની પડખે ઊભી રહેવા તત્પર છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે આ સમાજનાં સંતાનોને શિક્ષણ મેળવવામાં જે સુવિધાઓની જરૂરિયાત હશે,
તે આપવા પણ રાજ્ય સરકાર શક્ય તમામ પ્રયત્નો કરશે અને સમાજ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો પ્રત્યે પણ
અમે યોગ્ય વિચારણા કરીશું તેવો વિશ્વાસ તેમણે આપ્યો હતો

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતનું નાણાકીય વ્યવસ્થાપન આખા દેશમાં નંબર વન છે. એટલું જ
નહીં, કોઈ પણ યોજનાઓમાં, ગરીબ-વંચિત, નાનામાં નાના માણસની કલ્યાણ યોજનામાં પૈસાની કોઈ તકલીફ ન
પડે તેવું સુદ્રઢ આયોજન આપણે કર્યું છે અને આ વર્ષે ૨ લાખ ૪૫ હજાર કરોડ જેટલું માતબર બજેટ ગુજરાતના
વિકાસ માટે ફાળવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ રાવળયોગી સમાજના સૌ અગ્રણીઓને અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા
આ સમાજના લોકોને એમ પણ કહ્યું કે આ સરકારે આવકના દાખલાની મર્યાદા ત્રણ વર્ષ કરવી, જ્યાં કાયદાકીય રીતે
આવશ્યક ન હોય ત્યાં એફિડેવિટની પ્રથા દૂર કરવી, વગેરે સહિતના સામાન્ય માનવીને વધુ સરળતા આપતા નિર્ણયો
કર્યાં છે.

બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઉદય કાનગડે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
સમાજના સૌ વર્ગોને સાથે લઈને ચાલવાની નેમ સાથે મૃદુ અને મક્કમ નિર્ણયકર્તા મુખ્યમંત્રી તરીકે લોકોમાં આગવી
ચાહના પામ્યા છે.

રાવળયોગી સમાજ પોતાના પેઢી દર પેઢીથી ચાલી આવતા વ્યવસાયો સાથે હવે વિકાસમાર્ગે આગળ
વધવા પ્રતિબદ્ધ બન્યો છે, તે આટલી વિશાળ સંખ્યામાં સમાજના લોકોની ઉપસ્થિતિથી દેખાઈ રહ્યું છે. તેમણે આ
માટે સમાજને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે અગ્રણી શ્રી ભગવાનદાસ પંચાલ, બક્ષીપંચ મોરચાના યુવા પ્રમુખ દેવેન્દ્રભાઈ રાવળ, વિચરતી
અને વિમુક્ત જાતિ-રાષ્ટ્રીય આયોગના પૂર્વ સદસ્ય શ્રી રાજેન્દ્રભાઈ રાવળ, રાવળયોગી યુવા સંગઠનના ભરતભાઈ
રાવળ, તેમ જ બક્ષીપંચ મોરચાના યુવા અગ્રણી શ્રી મયંક નાયક, વગેરેએ સમાજ વતી મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન
કરીને સમગ્ર રાવળયોગી સમાજ આવનારા દિવસોમાં પણ મુખ્યમંત્રીશ્રી અને પક્ષની પડખે રહેશે તેવો વિશ્વાસ
આપ્યો હતો.


About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: “મોદી@2020 – ડ્રીમ્સ મીટ ડિલીવરી” પુસ્તક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના
અત્યાર સુધીના પરિશ્રમનો પરિચય કરાવે છે: કેન્દ્રીય મંત્રીશ્રી પીયૂષ ગોયલ
Next: સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે અંગદાન
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.