Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

PFના નાણાં હવે ATM અને UPIથી ઉપાડી શકાશે

Chief Editor December 18, 2025
PF

PF

Easy PF Withdrawals | ભારતમાં નિવૃત્તિ પછીના જીવન અને પેન્શન ફંડને લઈને લોકોમાં જાગૃતિનો અભાવ છે, ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા કર્મચારીઓ માટે PF (પ્રોવિડન્ટ ફંડ) એ મુશ્કેલીના સમયનો સૌથી મોટો સહારો ગણાય છે. બીમારી, બાળકોના શિક્ષણ, લગ્ન કે ઘર ખરીદવા જેવા મહત્વના પ્રસંગોએ PF માં જમા થયેલી નાની-નાની બચત એક મોટી મૂડી બનીને કામ આવે છે. પરંતુ, સરકારના એક નવા પ્રસ્તાવિત પગલાથી હવે આ બચત સામે જોખમ ઊભું થયું છે.

Join Our WhatsApp Group

શું છે નવી વ્યવસ્થા? કેન્દ્ર સરકાર માર્ચ ૨૦૨૬ સુધીમાં EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) ખાતાઓને UPI અને ATM સાથે લિંક કરવાની તૈયારી કરી રહી છે. આનો અર્થ એ છે કે, જે રીતે તમે તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડો છો, તેવી જ સરળતાથી પીએફના નાણાં ઉપાડી શકાશે. અત્યારે પીએફ ઉપાડવાની પ્રક્રિયા જટિલ હોવાથી લોકો તેને લાંબા સમય સુધી અકબંધ રાખે છે, જે અજાણતામાં પણ એક મોટું ફંડ ભેગું કરવામાં મદદ કરે છે.

બચત પર ગ્રહણ લાગવાનો ડર ડિજિટલ યુગમાં પીએફ ઉપાડની સરળતા તેના સૌથી મોટા ‘સાઇડ ઇફેક્ટ’ તરીકે ઉભરી શકે છે. નિષ્ણાતો માને છે કે જ્યારે પૈસા આંગળીના ટેરવે ઉપલબ્ધ હશે, ત્યારે લોકો નાની જરૂરિયાતો જેવી કે શોપિંગ કે મોબાઈલ ખરીદવા માટે પણ પીએફનું ફંડ વાપરી નાખશે. પરિણામે, જે ફંડ બાળકોના લગ્ન કે નિવૃત્તિ માટે બચાવવામાં આવતું હતું, તે ખાતું ખાલી થઈ જશે.

આંકડા શું કહે છે? હાલમાં ભારતમાં લગભગ ૮ કરોડ લોકો EPFO સાથે જોડાયેલા છે અને કુલ PF કોર્પસ અંદાજે ૨૫ લાખ કરોડ રૂપિયા છે. ભારતની આ સૌથી મોટી રિટાયરમેન્ટ સેવિંગ સ્કીમ છે. જોકે, નવા નિયમ બાદ આ રાશિ ઘટવાની શક્યતા છે. ઘણા લોકો વધુ વળતરની લાલચમાં સુરક્ષિત એવા પીએફમાંથી પૈસા કાઢીને શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડ જેવા જોખમી સાધનોમાં પણ લગાવી શકે છે.

નિષ્કર્ષ ભારતની ૧૪૦ કરોડની વસ્તીમાં માત્ર ૨ ટકા લોકો પાસે પેન્શનની સુવિધા છે. અટલ પેન્શન યોજના જેવી યોજનાઓમાં પણ મર્યાદિત આર્થિક સહાય મળે છે. આવા સમયે પીએફ જ એકમાત્ર એવું સાધન હતું જે નોકરીયાત વર્ગને સુરક્ષા આપતું હતું. જો લોકો UPI અને ATM ના મોહમાં પડીને પોતાની આ આજીવન બચત વાપરી નાખશે, તો ભવિષ્યમાં આર્થિક સંકટ સમયે તેમની પાસે કોઈ વિકલ્પ બાકી રહેશે નહીં.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: PF (પીએફ)

Post navigation

Previous: Ambalal Patel: 22 ડિસેમ્બર પછી ગુજરાત ઠૂંઠવાશે, જાન્યુઆરીમાં માવઠાની પણ શક્યતા
Next: અમદાવાદ ગ્રામ્ય પોલીસના ખાખી ભવન સહિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.