Indian Citizenship | ઇન્સાન દુનિયાના ગમે તે ખૂણે કેમ ન પહોંચી જાય, પરંતુ પોતાની જન્મભૂમિ અને માતૃભૂમિ પ્રત્યેનો લગાવ ક્યારેય ઓછો થતો નથી.
આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) ના બાપટલા (Bapatla) જિલ્લામાંથી આવી જ એક ભાવુક કરી દેનારી કહાની સામે આવી છે. અહીંના ચિંતાગુંપાલા ગામના રહેવાસી 94 વર્ષના કોન્ડ્રાગુંટા મહાલક્ષ્મમ્માએ પોતાની વર્ષો જૂની ઈચ્છા પૂરી કરવા માટે અમેરિકા (America) ની નાગરિકતા છોડી દીધી છે અને ફરીથી ભારતીય નાગરિક (Indian Citizen) બની ગયા છે.
પતિના અવસાન બાદ તેઓ પોતાના પુત્ર સાથે અમેરિકા શિફ્ટ (Shift) થયા હતા અને ત્યાં લાંબો સમય રહ્યા બાદ તેમણે યુએસ (US) સિટિઝનશિપ (Citizenship) પણ મેળવી લીધી હતી.
જોકે, વિદેશમાં વર્ષો વિતાવ્યા છતાં તેમનું મન હંમેશા પોતાના દેશ અને ગામમાં જ અટકેલું રહ્યું હતું. આથી જ, તેમણે બાપટલા જિલ્લા કલેક્ટર (Collector) ને અરજી કરીને ભારતીય નાગરિકતા પુનઃસ્થાપિત કરવા માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમની છેલ્લી ઈચ્છા છે કે તેમના જીવનના અંતિમ શ્વાસ ભારતમાં જ છૂટે અને મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર પણ તેમના પૈતૃક ગામમાં જ કરવામાં આવે.
તમામ જરૂરી કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ પ્રશાસન દ્વારા તેમની અરજી મંજૂર કરવામાં આવી હતી. 24 જૂનના રોજ કલેક્ટરેટ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરે તેમને નિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા અને ભારતીય નાગરિકતાના દસ્તાવેજો સોંપ્યા હતા.
બીજી તરફ, આનાથી તદ્દન ઉલટો એક કિસ્સો વર્ષ 2024 માં સામે આવ્યો હતો, જ્યાં ઓરલેન્ડો (Orlando) માં પોતાની પુત્રી સાથે રહેતા 99 વર્ષના ભારતીય મૂળના મહિલા દાઈબાઈને અમેરિકાની નાગરિકતા મળી હતી.
યુએસસીઆઈએસ (USCIS) એ વ્હીલચેર (Wheelchair) પર બેઠેલા આ વૃદ્ધાની સર્ટિફિકેટ (Certificate) સાથેની તસવીર સોશિયલ મીડિયા (Social Media) એક્સ (X) પર શેર (Share) કરીને લખ્યું હતું કે ‘ઉંમર માત્ર એક નંબર (Number) છે’.
જોકે, આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી અને જીવનના અંતિમ પડાવમાં દેશ છોડવા બદલ કેટલાક ભારતીયોએ નારાજગી પણ વ્યક્ત કરી હતી.
