વિશ્વ યોગ દિવસ : ગાંધીનગરમાં રાજભવનના પ્રાંગણમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ યોગાસન-પ્રાણાયામ કર્યા

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ૯ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કહ્યું કે, યોગ એ આસન કે વ્યાયામ માત્ર નથી, ભારતના ઋષિમુનિઓએ વર્ષો સુધી કઠિન તપશ્ચર્યા કરીને માનવજાતના કલ્યાણ માટે આપેલી વિદ્યા અને મહાન શાસ્ત્ર છે.

ગાંધીનગરમાં રાજભવનના પ્રાંગણમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ યોગાસન-પ્રાણાયામ કર્યા હતા. વિશ્વ યોગ દિવસે તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાથી સમસ્ત વિશ્વના કલ્યાણ માટે યોગ કરવા આહવાન કર્યું અને આજે આખી દુનિયા યોગ કરી રહી છે, એ ભારત માટે ગર્વની વાત છે.

સ્વાસ્થ્ય ઉત્તમ હશે તો જ અન્ય જવાબદારીઓ અને કર્તવ્યોનું સારી રીતે નિર્વહન થઈ શકશે. શરીર છે તો દુનિયા છે. પ્રવૃત્તિ રહેવા માટે શરીરનું સ્વસ્થ હોવું જરૂરી છે. નિયમિત યોગાસન અને પ્રાણાયામ કરવાથી શરીર સ્વસ્થ અને નીરોગી રહે છે. મન અને બુદ્ધિ એકાગ્ર થાય છે. પરિણામે કઠિન કાર્યો સરળતાથી કરવાની સમર્થતા આવે છે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ યોગને દિનચર્યાનો ભાગ બનાવવા અને તેનું નિયમિત અધ્યન કરવાનો અનુરોધ કર્યો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સ્વયં પણ દરરોજ નિયમિત યોગ અને પ્રાણાયામ કરે છે.

રાજભવનના પ્રાંગણમાં ગાંધીનગરના વરિષ્ઠ યોગગુરુ શ્રી અશ્વિનભાઈ દવેએ યોગાસન અને પ્રાણાયામ કરાવ્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમનું સન્માન કર્યું હતું. સમસ્ત રાજભવન પરિવારે યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આત્મવિકાસ માટે મનને સંતુલિત રાખવાના તથા પોતાના કર્તવ્યો અને સ્વાસ્થ્ય માટે પ્રતિબદ્ધતાના શપથ પણ લીધા હતા.

H S

Recent Posts

VYO શ્રીનાથ હવેલી કોપલ, Dallas

VYO શ્રીનાથ હવેલી કોપલ, Dallas ખાતે vyo ના સ્ટુડન્ટ નાના બાળક બાલિકા દ્વારા કૃષ્ણભક્તિ ગીતો…

10 hours ago

ગુજરાતમાં રક્તરંજિત માર્ગો: અમદાવાદમાં પૂરપાટ સ્કોર્પિયોએ વૃદ્ધને કચડ્યા, પાલનપુરમાં બસ-રિક્ષા અકસ્માતમાં 3 ના મોત

Gujarat Accidents News | ગુજરાત (Gujarat)માં બેફામ વાહન ચાલકોના કારણે અકસ્માતોની શ્રેણી સતત વધી રહી…

20 hours ago

આવતીકાલનું હવામાન: 30 જુલાઈના રોજ યુપી આ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ

Monsoon Weather | ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં ચોમાસું પૂરેપૂરું સક્રિય થઈ ગયું છે અને…

20 hours ago

હવે ક્લેમ કર્યા વિના મળશે PF ના પૂરા પૈસા, 1.18 લાખ લોકોની થઈ ઓળખ, જાણો ક્યારે આવશે રિફંડ?

PF Automatic Refund | બેંક (Bank), એલઆઈસી (LIC) અને ઈપીએફઓ (EPFO) માં હજારો કરોડ રૂપિયા…

20 hours ago

શું છે MIDH સ્કીમ? ખેડૂતો માટે આશીર્વાદરૂપ… જાણો તેના એક-એક ફાયદા

MIDH Scheme Benefits | બાગાયતી ક્ષેત્ર (Horticulture Sector)ને પ્રોત્સાહન આપવાની સાથે ખેડૂતોની આવકમાં વધારો કરવાના…

21 hours ago

પાકિસ્તાનની શરમજનક હાર, WTC પોઇન્ટ્સ ટેબલમાં સૌથી નીચે પહોંચી ટીમ

Pakistan Test Match | પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા મોટી આશાઓ સાથે બાબર આઝમ (Babar…

21 hours ago