પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા અમદાવાદ મંડળના કર્મચારી અજય ગાયકવાડને સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડે દ્વારા અમદાવાદ મંડળના કાંકરિયા પેનલ ખાતે કાર્યરત શ્રી અજય ગાયકવાડને સુરક્ષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી, સતર્કતા અને સુરક્ષિત રેલ સંચાલનમાં નોંધપાત્ર યોગદાન બદલ “મેન ઑફ ધ મન્થ” (જૂન–2026) સંરક્ષા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. સન્માનિત કર્મચારીની વિગતો નીચે મુજબ છે.
તા. 28.06.2026ના રોજ અમદાવાદ મંડળના કાંકરિયા પેનલ પર બપોરે 15:00 થી રાત્રે 23:30 વાગ્યાની ફરજ દરમિયાન શ્રી અજય ગાયકવાડે અંદાજે 18:03 વાગ્યે વટવાથી રવાના થયેલી એક માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે તેના બે વેગનોના અપર લિડ (Upper Lid) ખુલ્લા હોવાનું સતર્કતાપૂર્વક નિહાળ્યું.
તેમણે તાત્કાલિક અમદાવાદ ટાવર કેબિનને જાણ કરી અને સંબંધિત માલગાડીને આગમન સિગ્નલ ન આપવાની સૂચના આપી, જેના પરિણામે ગાડીને સિગ્નલ પર સુરક્ષિત રીતે અટકાવવામાં આવી. ત્યારબાદ જરૂરી પાવર બ્લોક મેળવી C&W સ્ટાફ દ્વારા બંને વેગનોની મરમ્મતકરવામાં આવી. ખામી દૂર થયા બાદ માલગાડીને સુરક્ષિત રીતે આગળના ગંતવ્ય તરફ રવાના કરવામાં આવી.
સ્ટેશન માસ્ટરની સતર્કતા, ત્વરિત નિર્ણયક્ષમતા તથા ” સંરક્ષા સર્વોપરી” ના સિદ્ધાંત પ્રત્યેની પ્રતિબદ્ધતાના કારણે સંભવિત દુર્ઘટનાને સમયસર ટાળી શકાયી હતી.
અમદાવાદ મંડળને તેના આ કર્મચારીની આ સિદ્ધિ પર ગર્વ છે. આ સન્માન તમામ રેલવે કર્મચારીઓને સુરક્ષિત રેલ સંચાલન માટે હંમેશા સતર્ક રહી જવાબદારીપૂર્વક ફરજ નિભાવવાની પ્રેરણા આપશે.
****
ત્રણ જોડી ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર: સાબરમતીને બદલે ગાંધીગ્રામથી થશે સંચાલન ચાંદખેડા રોડ સ્ટેશન પર…
અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસમાં થશે મહત્વપૂર્ણ ફેરફારો: અમદાવાદના બદલે હવે સાબરમતી (જેલ સાઇડ) SBT સ્ટેશન…
ગુજરાતનો રમતગમતનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. વર્ષ 2014માં 17મી એશિયન ગેમ્સમાં…
Anti-paper leak bill | દેશભરમાં પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીક (Paper Leak) ની ઘટનાઓ સામે…
Cyber e Zero FIR | ગુજરાતમાં સાયબર ગુનાઓ (Cyber Crimes) પર ઝડપી કાર્યવાહી કરવા અને…
ગુજરાત (Gujarat) માં છેલ્લા 5 દિવસથી થઈ રહેલા સાર્વત્રિક વરસાદ (Rain) ને કારણે રાજ્યમાં પાણીની…