ત્રણ જોડી ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર: સાબરમતીને બદલે ગાંધીગ્રામથી થશે સંચાલન
ચાંદખેડા રોડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ

યાત્રીઓની સુવિધા તથા અમદાવાદ શહેરમાં ઉત્તમ રેલવે સંપર્ક ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી રેલવે મંત્રાલયે સાબરમતી-જોધપુર એક્સપ્રેસ, સાબરમતી-આગરા કેન્ટ એક્સપ્રેસ અને સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસનું ટર્મિનલ સ્ટેશન સાબરમતીથી બદલીને ગાંધીગ્રામ કરવા માટે મંજૂરી આપી છે. સાથે જ આ તમામ ટ્રેનોને ચાંદખેડા રોડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ
1. ટ્રેન નંબર 14822/14821 ગાંધીગ્રામ-જોધપુર-ગાંધીગ્રામ એક્સપ્રેસ
ટ્રેન નંબર 14822 ગાંધીગ્રામ-જોધપુર એક્સપ્રેસ તારીખ 27 ઓગસ્ટ 2026 થી દરરોજ ગાંધીગ્રામ સ્ટેશનથી સવારે 07.00 કલાકે પ્રસ્થાન કરશે. આ ટ્રેન ચાંદખેડા રોડ સ્ટેશન પર 07.09 કલાકે આગમન તથા 07.11 કલાકે પ્રસ્થાન કરશે અને 18.10 કલાકે જોધપુર પહોંચશે.
એ જ રીતે, ટ્રેન નંબર 14821 જોધપુર-ગાંધીગ્રામ એક્સપ્રેસ તારીખ 26 ઓગસ્ટ 2026 થી દરરોજ જોધપુરથી પોતાના નિર્ધારિત સમય 10.00 કલાકે પ્રસ્થાન કરશે. આ ટ્રેન ચાંદખેડા રોડ સ્ટેશન પર 20.15 કલાકે આગમન તથા 20.17 કલાકે પ્રસ્થાન કરશે અને 21.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે.
2. ટ્રેન નંબર 12548/12547 ગાંધીગ્રામ-આગરા કેન્ટ-ગાંધીગ્રામ એક્સપ્રેસ (અઠવાડિયામાં 4 દિવસ)
ટ્રેન નંબર 12548 ગાંધીગ્રામ-આગરા કેન્ટ એક્સપ્રેસ તારીખ 26 ઓગસ્ટ 2026 થી ગાંધીગ્રામ સ્ટેશનથી સાંજે 16.40 કલાકે પ્રસ્થાન કરશે. આ ટ્રેન ચાંદખેડા રોડ સ્ટેશન પર 17.02 કલાકે પહોંચશે તથા 17.04 કલાકે પ્રસ્થાન કરી બીજા દિવસે 07.05 કલાકે આગરા કેન્ટ પહોંચશે.
એ જ રીતે, ટ્રેન નંબર 12547 આગરા કેન્ટ-ગાંધીગ્રામ એક્સપ્રેસ તારીખ 25 ઓગસ્ટ 2026 થી આગરા કેન્ટથી પોતાના નિર્ધારિત સમય 22.00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે આ ટ્રેન ચાંદખેડા રોડ સ્ટેશન પર 11.02 કલાકે આગમન તથા 11.04 કલાકે પ્રસ્થાન કરશે અને 12.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે.
3. ટ્રેન નંબર 22548/22547 ગાંધીગ્રામ-ગ્વાલિયર-ગાંધીગ્રામ એક્સપ્રેસ (અઠવાડિયામાં 3 દિવસ)
ટ્રેન નંબર 22548 ગાંધીગ્રામ-ગ્વાલિયર એક્સપ્રેસ તારીખ 27 ઓગસ્ટ 2026 થી ગાંધીગ્રામ સ્ટેશનથી સાંજે 16.40 કલાકે પ્રસ્થાન કરશે. આ ટ્રેન ચાંદખેડા રોડ સ્ટેશન પર 17.02 કલાકે આગમન તથા 17.04 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 09.25 કલાકે ગ્વાલિયર પહોંચશે.
એ જ રીતે, ટ્રેન નંબર 22547 ગ્વાલિયર-ગાંધીગ્રામ સુપરફાસ્ટ એક્સપ્રેસ તારીખ 26 ઓગસ્ટ 2026 થી ગ્વાલિયરથી પોતાના નિર્ધારિત સમય 20.10 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે આ ટ્રેન ચાંદખેડા રોડ સ્ટેશન પર 11.02 કલાકે આગમન તથા 11.04 કલાકે પ્રસ્થાન કરશે અને 12.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે.
યાત્રી કૃપા કરીને ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અન્ય અદ્યતન માહિતી માટે રેલવેની અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in નું અવલોકન કરે.
