મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુનિતા અગ્રવાલે ગુજરાત હાઇકોર્ટ ખાતે જસ્ટિસ માનસ રંજન પાઠકને શપથ લેવડાવ્યા
**
ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશશ્રીઓ, એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલોની ઉપસ્થિતિ
* * * *
ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયાધીશ શ્રી માનસ રંજન પાઠકનો શપથગ્રહણ સમારંભ યોજાયો હતો.
ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુનિતા અગ્રવાલે જસ્ટિસ માનસ રંજન પાઠકને ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ પદના શપથ લેવડાવ્યા હતા.

ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્વારા ઓડિશા હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રી જસ્ટિસ માનસ રંજન પાઠકની ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે બદલી કરવામાં આવી છે.
આ શપથગ્રહણ સમારંભમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશશ્રીઓ, એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલો તથા હાઈકોર્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
