Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું કાઉન્ટડાઉન શરૂ: SVNIT સર્કલ પર કાઉન્ટડાઉન ક્લોકનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અનાવરણ

H S May 25, 2023
25 yo5

“વન અર્થ, વન હેલ્થ” ના સૂત્ર સાથે યોગ પ્રત્યે જનજાગૃત્તિ કેળવવાનો નવતર ક્લોકનો મુખ્ય આશય

=શહેરીજનોને આ ક્લોક યોગ દિવસના કાઉન્ટડાઉનની દરરોજ યાદ અપાવશે:
= મેન્ટલી ફિટ રહેવા માટે દુનિયાભરના લોકો યોગ અપનાવી રહ્યા છે:
: ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

=======================================================================

Join Our WhatsApp Group

સુરત:ગુરૂવાર: ભારત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા.૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, જેને અનુલક્ષીને સુરતના પીપલોદ સ્થિત SVNIT સર્કલ ખાતે કાઉન્ટડાઉન ક્લોકનું ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે અનાવરણ કરાયું હતું.


આ પ્રસંગે ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે, યોગ દિવસ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ અને આપણી પ્રાચીન ધરોહર, આગવી ઓળખ સમાન યોગ વિશ્વને ભારત દેશે આપેલી અણમોલ ભેટ છે. આપણું યોગ દુનિયાભરમાં સ્વીકૃતિ પામ્યું છે. લોકો શારીરિક-માનસિક સ્વસ્થ રહેવા માટે યોગ અપનાવી રહ્યા છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. સુરતીઓ યોગને જીવનશૈલી સાથે વણી લઈ યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવાનો નવો રેકોર્ડ રચશે એમ જણાવતા મંત્રીશ્રીએ ઘર-ઘરથી સુરતીઓ બહાર આવીને યોગ સાથે નાતો જોડે અને ‘ટીમ સુરત’ બનીને કાર્ય કરે એવી હાંકલ કરી હતી.


નોંધનીય છે કે, રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તક ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાશે. જેના ભાગરૂપે SVNIT સર્કલ સ્થિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસને આવકારવા કાઉન્ટડાઉન વોચનું અનાવરણ કરાયું છે.
-00-

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ
Next: ગુજરાતના ખેત પેદાશો આયાત કરવા યુનાઈટેડ અરબ એમિરેટ્સ તત્પર:ગાંધીનગર ખાતે યુ.એ.ઈ પ્રતિનિધિ મંડળે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાથે બેઠક કરી
Follow

Recent Posts

  • હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધારાણીની પૂજા
  • નોર્વેમાં ભારતીય શખ્સને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કરવા પડ્યા બે વર્ષ ધક્કા, 6 લાખનો ખર્ચ
  • અમેરિકામાં NRI ના માતા-પિતાને ઇમિગ્રેશન ઓફિસરે માત્ર 2 મહિનાનો જ સ્ટે આપ્યો
  • ‘મોદીજી મિસાઇલ આપો, અમે પાકિસ્તાનને ઉડાડી દઈશું’ તાલિબાન
  • આર્મી ચીફ જનરલ ધિરજ સેથનો રશિયા પ્રવાસ: આર્મર અને એર ડિફેન્સ યોજનાઓ માટે કેમ છે મહત્વપૂર્ણ?
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.