Skip to content
March 21, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

હરિયાણા વિશ્વવિદ્યાલય દ્વારા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક ચિકિત્સા અને દેશ સેવામાં તેમના અનન્ય યોગદાન બદલ ડૉક્ટર ઑફ લિટરેચરની માનદ ઉપાધિથી સન્માનિત કરાયા

Chief Editor August 13, 2023
13 raj1

જે પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયનો હું વિદ્યાર્થી રહ્યો એ વિશ્વવિદ્યાલયે ડૉક્ટર ઑફ લિટરેચરની પદવીથી સન્માન કર્યું તે માટે સવિનય આભાર : શ્રી આચાર્ય દેવવ્રતજી

11-8

હરિયાણાની સૌથી પ્રતિષ્ઠિત, પ્રાચીન અને સૌથી મોટી કુરુક્ષેત્ર યુનિવર્સિટીએ આજે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને પ્રાકૃતિક કૃષિ, ગોપાલન, ગૌ નસ્લ સુધાર, પ્રાકૃતિક અને યૌગિક ચિકિત્સા, સામાજિક સમરસતા, વૃક્ષારોપણ, જલ સંરક્ષણ અને દેશ સેવામાં તેમના અનન્ય યોગદાન બદલ ડૉક્ટર ઑફ લિટરેચરની માનદ્ ઉપાધિથી સન્માનિત કર્યા હતા.

કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલયના ૩૩ મા દીક્ષાંત સમારોહમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદ દ્વારા કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ અને હરિયાણાના રાજ્યપાલ શ્રી બાંડારુ દત્તાત્રેયજી, હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર અને હરિયાણાના ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી મૂલચંદ શર્માની ઉપસ્થિતિમાં શ્રી આચાર્ય દેવવ્રતજીને ડૉક્ટર ઑફ લિટરેચરની માનદ ઉપાધિ પ્રદાન કરવામાં આવી હતી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ડૉક્ટર ઑફ લિટરેચરની માનદ ઉપાધિનો સ્વીકાર કરતાં કહ્યું હતું કે, જે પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાનનો હું વિદ્યાર્થી રહ્યો છું એ સંસ્થાન આજે ડૉક્ટર ઑફ લિટરેચરની માનદ્ ઉપાધિથી મને સન્માનિત કરે છે એ માટે હું કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલય પ્રતિ
નમ્રતાપૂર્વક આભારની લાગણી પ્રદર્શિત કરું છું.

પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ, યોગ અને રાષ્ટ્રની વિવિધ સામાજિક ગતિવિધિઓમાં પ્રદાન બદલ મળેલા આ સન્માન બદલ તેમણે કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી બાંડારુ દત્તાત્રેયજી, હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર અને કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. શ્રી સોમનાથ સચદેવાનો સવિનય આભાર માન્યો હતો અને શુભકામનાઓ પાઠવી હતી.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેશ્વરી સેવા સમિતિ દ્વારા આયોજિત “સમૃદ્ધિ ટ્રેડફેર 2023″નું ઉદ્ઘાટન
Next: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજભવન પરિસરમાં મહર્ષિ દયાનંદ સભામંડપનું લોકાર્પણ
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.