Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

“પોલીસ સ્મૃતિ દિવસ” નિમિત્તે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે પોલીસ શહીદોને શ્રદ્ધાંજલિ 

Chief Editor October 21, 2023

કોઈ પણ દેશની આંતરિક સુરક્ષા કે સરહદની સુરક્ષા સતર્ક પોલીસ તંત્ર વિના શક્ય નથી

આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિને આગળ ધપાવતા મોદી સરકારે કડક કાયદાઓ ઘડ્યા છે અને પોલીસના આધુનિકીકરણ માટે પોલીસ ટેકનોલોજી મિશનની સ્થાપના કરીને વિશ્વમાં આતંકવાદ વિરોધી શ્રેષ્ઠ દળ બનવાના પ્રયાસો પણ કર્યા છે

છેલ્લા એક દાયકામાં આતંકવાદ, આતંકવાદી હુમલા, નક્સલવાદ અને વંશીય હિંસાની ઘટનાઓમાં 65 ટકાનો ઘટાડો થયો

આપણી ફોજદારી ન્યાય પ્રણાલીને મૂળભૂત રીતે બદલવા માટે મોદી સરકાર ત્રણ નવા કાયદા લાવી રહી છે

આ ત્રણ નવા કાયદાઓ બ્રિટિશ યુગના કાયદાઓનું સ્થાન લેશે અને ભારતીયતાને પ્રતિબિંબિત કરશે અને ભારતના બંધારણની ભાવના અનુસાર દરેક નાગરિકના અધિકારોનું રક્ષણ કરશે

અમે પોલીસ ટેકનોલોજી મિશન, 3 નવા કાયદા અને આઇસીજેએસ મારફતે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં પારદર્શકતા અને ઝડપ લાવવાનાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં સફળ થઈશું

ભારત આજે વિશ્વના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે, તેનો પાયો બહાદુર શહીદોનું બલિદાન છે અને આ દેશ તેમના બલિદાનને ક્યારેય નહીં ભૂલે

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે પોલીસ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી અજયકુમાર મિશ્રા અને કેન્દ્રીય ગૃહ સચિવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001MOAG.jpg

આ પ્રસંગે પોતાના સંબોધનમાં શ્રી શાહે આઝાદી બાદ દેશની આંતરિક સુરક્ષા અને તેની સરહદોની સુરક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા 36,250 પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શહીદ પોલીસકર્મીઓના પરિવારજનોને કહ્યું કે આજે ભારત વિશ્વના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે અને તેનો પાયો તેમના પરિવારના શહીદોનું બલિદાન છે અને આ દેશ તેમના બલિદાનને ક્યારેય નહીં ભૂલે. શ્રી શાહે જણાવ્યું હતું કે, કોઈ પણ દેશની આંતરિક સુરક્ષા કે સરહદની સુરક્ષા સતર્ક પોલીસ વ્યવસ્થા વિના શક્ય નથી. દેશમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓમાં પોલીસકર્મીઓની ફરજ સૌથી અઘરી હોય છે, પછી તે દિવસ હોય કે રાત, શિયાળો હોય કે ઉનાળો, તહેવાર હોય કે નિયમિત દિવસ હોય, પોલીસકર્મીઓને તેમના પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરવાની તક મળતી નથી. તેમણે કહ્યું કે આપણા તમામ પોલીસ દળ પોતાના જીવનના સોનેરી વર્ષો પોતાના પરિવારથી દૂર દેશની લાંબી જમીન સીમા પર વિતાવે છે અને પોતાની બહાદુરી અને બલિદાન દ્વારા દેશની રક્ષા કરે છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આતંકવાદીઓનો સામનો કરવાની વાત હોય, ગુનાખોરી અટકાવવાની હોય, ભીડનો સામનો કરતી વખતે કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય, આપત્તિઓ અને અકસ્માતો દરમિયાન સામાન્ય નાગરિકોની સુરક્ષા કરવાની હોય કે પછી કોરોના કાળ જેવા કપરા સમયમાં આગળની હરોળમાં ઊભા રહેવાની વાત હોય, નાગરિકોની સુરક્ષા કરવાની હોય, આપણા પોલીસજવાનોએ દરેક પ્રસંગે પોતાની જાતને સાબિત કરી છે. છેલ્લા 1 વર્ષમાં 01 સપ્ટેમ્બર, 2022થી 31 ઓગસ્ટ, 2023 સુધીમાં 188 પોલીસકર્મીઓએ દેશની સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002Z9ZG.jpg

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમૃત કાલનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે આઝાદીના 75 વર્ષના અંતથી શરૂ કરીને આઝાદીની શતાબ્દી સુધી આ 25 વર્ષ દેશને દરેક ક્ષેત્રમાં ટોચના સ્થાન પર લઈ જવા માટે છે. આ માટે દેશની 130 કરોડ જનતાએ સામૂહિક રીતે અને વ્યક્તિગત રીતે પ્રતિજ્ઞા લીધી છે અને આ સંકલ્પોથી આપણને દુનિયાના દરેક ક્ષેત્રમાં ટોચ પર પહોંચતા કોઈ રોકી નહીં શકે. શ્રી શાહે જણાવ્યું હતું કે, છેલ્લાં દાયકામાં આપણાં બહાદુર પોલીસજવાનોનાં પ્રયાસોને કારણે આતંકવાદ, આતંકવાદી હુમલાઓ, નક્સલવાદ અને વંશીય હિંસામાં તેમની ટોચનાં સ્તરથી 65 ટકાનો ઘટાડો થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003AO4K.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં એનડીઆરએફનાં માધ્યમથી કામ કરીને વિવિધ પોલીસ દળોનાં જવાનોએ સન્માનજનક નામના મેળવી છે અને દેશમાં જ નહીં, પણ સમગ્ર દુનિયામાં આપત્તિ નિવારણનાં ક્ષેત્રમાં સફળતા મેળવી છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે આપણે ભારતની આઝાદીનાં અમૃત કાળમાં પ્રવેશ કરી રહ્યાં છીએ, ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં ભારત સરકાર ત્રણ નવા કાયદા લાવી રહી છે, જે આપણી અપરાધિક ન્યાય વ્યવસ્થાને સંપૂર્ણપણે બદલી નાખશે. તેમણે કહ્યું હતું કે, આ ત્રણેય કાયદાઓ 150 વર્ષ જૂના બ્રિટિશ યુગના કાયદાઓનું સ્થાન લેશે અને તે માત્ર ભારતીયતાને જ પ્રતિબિંબિત નહીં કરે પરંતુ ભારતના બંધારણની ભાવના અનુસાર દરેક નાગરિકના અધિકારોનું રક્ષણ પણ કરશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ અદાલતોમાં પેન્ડિંગ કેસોની પેન્ડન્સી સમાપ્ત કરવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં આપણે પોલીસ ટેકનોલોજી મિશન, 3 નવા કાયદા અને આઇસીજેએસના માધ્યમથી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં પારદર્શિતા અને ગતિ લાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહીશું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004R1XE.jpg

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિને આગળ વધારતા મોદી સરકારે કડક કાયદા ઘડ્યા છે અને પોલીસના આધુનિકરણ માટે પોલીસ ટેકનોલોજી મિશનની સ્થાપના કરીને વિશ્વમાં આતંકવાદ વિરોધી શ્રેષ્ઠ દળ બનવાના પ્રયાસો પણ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, પોલીસ કર્મચારીઓનાં કલ્યાણ માટે પીએમ મોદીની આગેવાની હેઠળની સરકારે આયુષ્યમાન-સીએપીએફ, હાઉસિંગ સ્કીમ, સીએપીએફ ઇ-આવાસ વેબ પોર્ટલ, પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના, કેન્દ્રીય અનુગ્રહ રાશિ, વિકલાંગતા એક્સ-ગ્રેશિયા, એર કુરિયર સર્વિસીસ અને સેન્ટ્રલ પોલીસ વેલ્ફેર સ્ટોરમાં પણ સમયસર ફેરફાર કર્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005OGW5.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પોલીસ સ્મારક એ માત્ર પ્રતીકાત્મક જ નથી, પણ રાષ્ટ્રનાં નિર્માણ માટે આપણાં પોલીસ કર્મચારીઓનાં ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે. તેમણે કહ્યું કે સરકાર પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોના કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વૈદિક પરંપરા, ભારતીય જીવનમૂલ્યો અને સનાતન વૈદિક ધર્મ જ વિશ્વ શાંતિનો આધાર બની શકે : શ્રી આચાર્ય દેવવ્રતજી
Next: CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગરબા નિહાળી ગરબા પ્રેમી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો
Follow

Recent Posts

  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.