Skip to content
March 10, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

ગુજરાત વેટરનરી કાઉંન્સીલની પુન:રચના કરી ૧૨ સભ્યોની કરાઈ નવનિયુક્તિ: પુન:રચના બાદ આજે કાઉન્સિલની પ્રથમ બેઠક મળી

H S May 25, 2023

રાજ્ય સરકારની સૂચનાથી ગુજરાત વેટરનરી કાઉંન્સીલની તાજેતરમાં જ પુન:રચના કરી કુલ ૧૨ સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. નિયુક્તિ બાદ તા.૨૫મી મે, ૨૦૨૩ના રોજ કાઉન્સિલના સભ્યશ્રીઓની પ્રથમ બેઠક મળી હતી. બેઠક બાદ તમામ સભ્યશ્રીઓએ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી. મંત્રીશ્રીએ નવનિયુક્ત સભ્યોને અભિનંદન પાઠવીને રાજ્યના પશુચિકિત્સકો અને પશુપાલકોના કલ્યાણ માટે રચનાત્મક કામ કરવા અનુરોધ કર્યો હતો.

ગુજરાત રાજ્યમાં પશુસારવાર સાથે સંકળાયેલ પશુચિકિત્સકો યોગ્ય માપદંડ મુજબ પશુઓનાં આરોગ્યની જાળવણી કરે, તેનું નિયમન તેમજ નવી શોધાતી વૈજ્ઞાનિક પદ્ધતિઓની જાણ સમયાંતરે રાજ્યનાં પશુચિકિત્સકોને મળતી રહે, તે માટે ઇન્ડિયન વેટરનરી કાઉન્સિલ એક્ટ-૧૯૮૪ હેઠળ ગુજરાત વેટરનરી કાઉંન્સીલની રચના કરવામાં આવી છે. આજે નવનિયુક્ત સભ્યોની પ્રથમ બેઠક પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની એસ. ઠાકરના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં તમામ સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાઉન્સિલના નિયમોનુસાર આ બેઠકમાં પ્રમુખ તરીકે નિવૃત નાયબ પશુપાલન નિયામક ડૉ. બી. ડી. પટેલ અને ઉપપ્રમુખ તરીકે વેટરનરી ક્લિનિકલ કોમ્પેલ્ક્ષ વેટરનરી કોલેજ-આણંદના એસો.પ્રોફેસર અને હેડ ડૉ. કે. કે. હડીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ગુજરાતના ખેત પેદાશો આયાત કરવા યુનાઈટેડ અરબ એમિરેટ્સ તત્પર:ગાંધીનગર ખાતે યુ.એ.ઈ પ્રતિનિધિ મંડળે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાથે બેઠક કરી
Next: વડોદરાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદમાં નર્મદા કિનારે ગંગા દશહરા મહોત્સવમાં સહભાગી થતાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ
Follow

Recent Posts

  • ગેસની અછત વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: દેશમાં ECA એક્ટ લાગુ, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
  • UNમાં ભારતે પાકિસ્તાનને તતડાવ્યું, અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક અને નિર્દોષોના મોત મુદ્દે ઉઠાવ્યા સવાલ
  • પુતિને ટ્રમ્પને ઈરાન યુદ્ધ રોકવાનો ‘માસ્ટર પ્લાન’ આપ્યો, વિશ્વયુદ્ધનો ખતરો ટળ્યો!
  • વડોદરામાં 16 વર્ષના સગીરે અકસ્માત, 5 લોકોને અડફેટે લીધા; લોકોએ મેથીપાક આપ્યો
  • LPG સિલિન્ડર બુકિંગના નિયમોમાં ફેરફાર: હવે 25 દિવસ પછી જ થશે બીજું બુકિંગ, જાણો નવા ભાવ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.