National

ટેલિગ્રામ બેનથી શું ખરેખર અટકશે NEET પેપર લીક? જાણો સાયબર રિસર્ચરએ શું કહ્યું

Telegram Ban NEET | આગામી 21 જૂનના રોજ યોજાનારી NEET UG રી-એક્ઝામિનેશન (Re-examination) ને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવવા સરકારે દેશભરમાં 22 જૂન સુધી ટેલિગ્રામ સર્વિસ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે.

સરકારનો દાવો છે કે આ ડિજિટલ લોકડાઉનથી પેપર લીક માફિયા અને અફવાખોરોનું નેટવર્ક તૂટી જશે. પરંતુ સરકારના આ પગલાં પર દેશના માત્ર 19 વર્ષના ઉભરતા સાયબર સુરક્ષા રિસર્ચર નિસર્ગ અધિકારીએ આકરી ટીકા કરી છે.

નિસર્ગ અધિકારીએ સોશિયલ મીડિયા (Social media) પ્લેટફોર્મ ‘X’ પર તંજ કસતા લખ્યું છે કે, પેપર લીક રોકી શકતા નથી અને અંતે ટેલિગ્રામ બ્લોક કરી દીધું.

તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ એક કમ્યુનિકેશન પ્લેટફોર્મને બ્લોક કરવું એ પેપર લીકનો સાચો ઈલાજ નથી. જ્યાં સુધી તમે એ સિસ્ટમ અને ખામીઓને ઠીક નહીં કરો જ્યાંથી પેપર ખરેખર લીક થાય છે, ત્યાં સુધી આવા પ્રતિબંધો બેઅસર સાબિત થશે.

તેમણે 2 મહત્વના ટેકનિકલ કારણો આપતા જણાવ્યું કે, ટેલિગ્રામનું આર્કિટેક્ચર (Architecture) એવું છે કે સરકાર ભલે તેના પર પ્રતિબંધ મૂકે, પરંતુ શાતિર યુઝર્સ અને ગેંગ પ્રોક્સી (Proxies) તેમજ અન્ય બાયપાસ ટૂલ્સની મદદથી આ પાબંદીને સરળતાથી બાયપાસ કરી શકે છે. વ્યાવહારિક રીતે ટેલિગ્રામને 100 ટકા બંધ કરવું અશક્ય છે.

સરકારે પોતાની ઉર્જા કોઈ એપ બ્લોક કરવા પાછળ બગાડવાને બદલે પરીક્ષાના સિક્યોરિટી સિસ્ટમને મજબૂત કરવા અને લીકના અસલી સોર્સ (Source) ને શોધવા પાછળ લગાવવી જોઈએ.

મહત્વનું છે કે, નિસર્ગ અધિકારીCBSE ના ઓન-સ્ક્રીન માર્કિંગ પોર્ટલ (OSM Portal) માં એક મોટી ટેકનિકલ ખામી શોધી કાઢી હતી. તેમની આ પ્રતિભાને જોઈને દેશની પ્રતિષ્ઠિત સંસ્થા IIT કાનપુરના સાયબર સુરક્ષા ઇનોવેશન સેન્ટર (C3iHub) દ્વારા તેમને OSINT અને થ્રેટ ઇન્ટેલિજન્સ એન્જિનિયર (Threat Intelligence Engineer) ના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

નિસર્ગ જેવા નિષ્ણાતોનું માનવું છે કે આવા બેનથી સામાન્ય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય છે જ્યારે ગુનેગારો પોતાનો નવો રસ્તો શોધી લે છે.

Chief Editor

Recent Posts

ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોનો સમગ્ર ભારતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

૩ ઓગસ્ટ-‘ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે’ **** ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોનો સમગ્ર ભારતમાં…

11 hours ago

ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે કળશ યાત્રાને આવકારી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે યોજાયેલી ભવ્ય કળશ યાત્રાને આવકારી…

11 hours ago

સોહેલના ડિવોર્સ પર બોલ્યા સલમાન ખાન, ભાઈનો કર્યો બચાવ

Salman Khan | રિયાલિટી શો (Reality Show) 'ધ અલાયન્સ' (The Alliance) ના ફિનાલે વીકમાં (Finale…

20 hours ago

પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશન બહાર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ: ૧૪ ના મોત

 બોમ્બ વિસ્ફોટમાં પાંચ પોલીસ કર્મચારીઓ અને ચાર નાગરિકો સહિત ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા…

1 day ago