ચોકીદાર પી વિશ્વનાથન કેરળ નગરપાલિકા પ્રમુખ (watchman P Vishwanathan Kerala Municipality Chairman)
વાયનાડ (કેરળ): મક્કમ મનોબળ અને પરિશ્રમથી કોઈ પણ શિખર સર કરી શકાય છે તેનું જીવંત ઉદાહરણ કેરળના વાયનાડમાં જોવા મળ્યું છે. જિલ્લાના કાલપેટ્ટા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે શપથ લીધા બાદ, જ્યારે એક સત્તાવાર ગાડી ટિન અને પ્લાસ્ટિકના તાલપત્રીવાળા ઝૂંપડા સામે આવીને ઉભી રહી, ત્યારે સૌની આંખો ભીની થઈ ગઈ. આ ઘર હતું પી. વિશ્વનાથનનું, જેઓ વ્યવસાયે ચોકીદાર છે અને હવે નગરપાલિકાના સર્વોચ્ચ પદ પર બિરાજમાન થયા છે.
કેરળની સૌથી પછાત ગણાતી ‘પાનિયા’ જનજાતિમાંથી આવતા ૪૦ વર્ષીય પી. વિશ્વનાથને કાલપેટ્ટા નગરપાલિકાના પ્રમુખ તરીકે પદભાર સંભાળીને ઇતિહાસ રચ્યો છે. વ્યવસાયે ચોકીદાર અને જાણીતા લોકગાયક એવા વિશ્વનાથન માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM) ના સક્રિય કાર્યકર છે. તેમણે તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર ૨૮ ની સામાન્ય બેઠક પર ૪૨૪ મતોની સરસાઈથી ભવ્ય વિજય મેળવ્યો હતો.
પદગ્રહણ કર્યા બાદ વિશ્વનાથન સીધા જ પોતાની આદિવાસી કોલોનીમાં ગયા હતા. ત્યાં એક સામાન્ય ઝૂંપડીમાં રહેતા તેમના વૃદ્ધ માતા-પિતાએ દીકરાનું સ્વાગત કર્યું હતું. આ દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે અને લોકો વિશ્વનાથનના સંઘર્ષને સલામ કરી રહ્યા છે.
જ્યારે કાલપેટ્ટા નગરપાલિકાના અધ્યક્ષનું પદ અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત રાખવામાં આવ્યું, ત્યારે CPM એ તેમની નિષ્ઠા અને જમીની જોડાણને જોઈને વિશ્વનાથનની પસંદગી કરી હતી. પોતાની સફર વિશે વાત કરતા વિશ્વનાથને જણાવ્યું હતું કે, “જનજાતીય સમુદાય આજે પણ મુખ્ય પ્રવાહથી પાછળ છે. મારો હેતુ આ પદ દ્વારા મારા સમુદાય અને શહેરના તમામ લોકોના પ્રશ્નોને વાચા આપવાનો છે.”
પાનિયા સમુદાય કેરળનો સૌથી મોટો આદિવાસી સમુદાય છે, જે મુખ્યત્વે વાયનાડ, કોઝિકોડ અને કન્નૂર જિલ્લામાં વસવાટ કરે છે. આ સમુદાયના વ્યક્તિનું આટલા ઉચ્ચ પદ પર પહોંચવું એ કેરળના સામાજિક પરિવર્તનનું મોટું પ્રતીક માનવામાં આવે છે.
એકલ ડલ્લાસ દ્વારા ભારતના આશરે 342 ગામડોઓમાં પ્રભાવ પાળવા માટે $222,000 એકત્ર કરાયા લેન્ડમાર્ક DFW…
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગ્રેટર નોઈડા (Greater Noida) વિસ્તારમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના…
કેનેડાના (Canada) ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ (Temporary Foreign Worker Program - TFWP) માં એક મોટો…
https://www.youtube.com/watch?v=fKiniAipCdM
વૈશ્વિક સ્તરે આર્થિક અને જીઓપોલિટિકલ (Geopolitical) અસ્થિરતા વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર (Indian Economy) સતત મજબૂતી…
Kisan Vikas Patra | ભારત સરકાર નાગરિકો માટે સલામત અને સુરક્ષિત રોકાણના અનેક વિકલ્પો પ્રદાન…