Religious

શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના મુખ્ય ગેટ સામે વિનીત વિહાર ‘પુષ્પરેખા ધર્મશાળા’નું ઐતિહાસિક ઉદ્ઘાટન સંપન્ન

શંખેશ્વર: “જ્યાં શિક્ષણ મળે તે વિદ્યાશાળા કહેવાય, જ્યાં પૈસા મળે તે ટંકશાળા કહેવાય, જ્યાં કર્મ બંધાય તે કર્મશાળા કહેવાય ને માત્ર જ્યાં ધર્મ જ થાય તે ધર્મશાલા કહેવાય.” શંખેશ્વર મહાતીર્થમાં આવી જ એક જબરજસ્ત વિરાટ ધર્મશાળાનું નિર્માણ થયું છે, જે સમગ્ર શંખેશ્વરની આન, બાન અને શાન બની ગઈ છે.

વિનીત વિહાર સંકુલની આ ‘પુષ્પરેખા ધર્મશાળા’નો ઐતિહાસિક ઉદ્ઘાટન ઉત્સવ દેશ-પરદેશથી ઉમટેલી અપાર જનમેદનીની હાજરીમાં અત્યંત ભવ્યતા સાથે સંપન્ન થયો છે. આ પ્રસંગે સમગ્ર જૈન સમાજ (Jain Samaj) અને જન-જનમાં આનંદ અને ઉલ્લાસનો મહાસાગર ઉમટ્યો હતો અને ચારેકોરથી આ અદ્ભુત કાર્ય માટે શુભેચ્છાઓનો વરસાદ થયો હતો.

આ મંગલમય પ્રસંગે શંખેશ્વર તીર્થ (Shankheshwar Tirth) માં બિરાજમાન બધા જ સમુદાયોના આચાર્ય ભગવંતો તેમજ ખૂબ મોટી સંખ્યામાં પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજો ખાસ પધાર્યા હતા. દેશ-પરદેશના ભાવિક ભક્તોના ઉદાર હાથે મળેલા દાનથી આ આલીશાન ધર્મશાળા શંખેશ્વર દાદાના મુખ્ય ગેટની બિલકુલ સામે નિર્માણ પામી છે, જે દેખાવમાં કોઈ ડાયમંડ સેટ (Diamond Set) જેવી ખૂબસૂરત લાગે છે.

આ ભવ્ય સંકુલના પ્રેરક પૂજ્ય ગુરૂદેવ ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજા (Vijay Yashovarma Surishwarji Maharaja) છે. તેમની જ દિવ્ય પ્રેરણાથી શંખેશ્વર ગામમાં આજુબાજુના ૬૦ ગામોની ગરીબ અને જરૂરિયાતમંદ જનતા માટે એક વિરાટ જૈન હોસ્પિટલ (Jain Hospital) નું નિર્માણ ૧૪ વર્ષ પૂર્વે કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, આ હોસ્પિટલ માટેની જમીન તત્કાલીન માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી (Narendra Modi) દ્વારા ફાળવવામાં આવી હતી. આજે અનેક એમ્બ્યુલન્સો (Ambulance) અને આધુનિક સુવિધાઓ ધરાવતી આ હોસ્પિટલને કારણે હજારો દર્દીઓના આશીર્વાદ આ સંસ્થાને મળી રહ્યા છે.

વિનીત વિહારના આ ભવ્ય ઉદ્ઘાટન નિમિત્તે શંખેશ્વર તીર્થમાં એક અત્યંત સુંદર પાણીની પરબ (પ્યાઉ) નું પણ નિર્માણ કરવામાં આવશે, જે સ્થાનિક ગ્રામજનો અને અહીં આવતા હજારો-લાખો યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

આ સાથે જ, શંખેશ્વર તીર્થમાં ચાતુર્માસ કે દર્શનાર્થે પધારતા હજારો સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ અને સ્વાસ્થ્ય સેવા માટે ‘જીતો-શ્રમણ આરોગ્યમ્’ (JITO Shraman Arogyam) દ્વારા ‘જીવાનંદ વૈદશાળા’ નું નિર્માણ કરવામાં આવશે. જેનો મંગલ પ્રારંભ પૂજ્ય ગુરૂદેવશ્રીના માંગલિક શ્રવણ સાથે કરવામાં આવ્યો હતો.

આ આધુનિક ધર્મશાળાના પ્રારંભથી શંખેશ્વર ભક્તિધામ અને જૈન સમાજમાં ભારે આનંદ-ઉત્સાહનો માહોલ છે. યાત્રાળુઓની સુવિધા અને સમાજ સેવાના આ શ્રેષ્ઠ સંકુલની સમગ્ર દેશભરમાં પ્રશંસા થઈ રહી છે.

Chief Editor

Recent Posts

અમેરિકાએ પોતાની જ સેનાને આપ્યા ‘વિના આંખ’ વાળા F35 ફાઇટર જેટ, ભારત માટે આ ડીલ કેટલી યોગ્ય?

F35 Fighter Jet: અમેરિકા (America) નું સૌથી એડવાન્સ સ્ટેલ્થ ફાઇટર જેટ F35 (F35 Stealth Fighter…

10 hours ago

ટ્રમ્પના ભારત પ્રવાસથી શું છે આશા? રાષ્ટ્રપતિના બે ખાસ મિત્રોએ ખોલ્યા સંબંધોના નવા રહસ્યો

India US Relations | ભારત અને અમેરિકા (America) ના સંબંધો આગામી મહિનાઓમાં નવી ઊંચાઈઓને આંબી…

10 hours ago

ટ્રમ્પે ઈરાન યુદ્ધ માટે અમેરિકન ટેક્સપેયર્સ પાસે $87.6 બિલિયન માંગ્યા

US Iran War Bill | વ્હાઇટ હાઉસ (White House) દ્વારા સત્તાવાર રીતે $87.6 બિલિયન (Billion)…

11 hours ago

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લસ્સી-છાશ છોડો, ટ્રાય કરો ટેસ્ટી અને હેલ્ધી ‘ફાલસા શરબત’

Phalse Sharbat: ઉનાળામાં પારો ચઢતાની સાથે જ શરીરને હાઇડ્રેટેડ (Hydrated) અને એક્ટિવ (Active) રાખવા માટે…

11 hours ago

માતૃભૂમિનો મોહ: અંતિમ શ્વાસ ભારતમાં લેવા માટે 94 વર્ષના વૃદ્ધાએ અમેરિકાની નાગરિકતા છોડી

Indian Citizenship | ઇન્સાન દુનિયાના ગમે તે ખૂણે કેમ ન પહોંચી જાય, પરંતુ પોતાની જન્મભૂમિ…

1 day ago