National

વીડી સતીશન કેરળના નવા મુખ્યમંત્રી: કેસી વેણુગોપાલની બાદબાકી, હાઈકમાન્ડે લીધો આખરી નિર્ણય

VD Satheesan Kerala CM | કેરળ વિધાનસભા ચૂંટણીના પરિણામો ( kerala assembly election 2026 Results) જાહેર થયાના 10 દિવસ બાદ અંતે સસ્પેન્સનો અંત આવ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે વીડી સતીશન (VD Satheesan) ને કેરળના આગામી મુખ્યમંત્રી (Chief Minister) તરીકે જાહેર કર્યા છે.

સતીશન હાલમાં પારાવૂર બેઠક પરથી ધારાસભ્ય (MLA) છે. કોંગ્રેસ નેતા દીપા દાસમુનશીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પક્ષ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથેની વિસ્તૃત ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી પદની રેસમાં કેસી વેણુગોપાલ (KC Venugopal) અને રમેશ ચેન્નીથલાના નામ પણ મોખરે હતા. જોકે, પક્ષમાં આંતરિક ખેંચતાણ જોવા મળી હતી. એક તરફ વેણુગોપાલને કેન્દ્રીય નેતૃત્વના નજીકના અને 75-80% ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરાયો હતો, તો બીજી તરફ સતીશનને નવી પેઢીના આક્રમક નેતા અને જનતાના પસંદગીના ચહેરા તરીકે જોવામાં આવતા હતા.

વાયનાડ (Wayanad) માં વેણુગોપાલ વિરુદ્ધ અને સતીશનના સમર્થનમાં પોસ્ટરો પણ લાગ્યા હતા, જેમાં હાઈકમાન્ડને ગંભીર ચેતવણી અપાઈ હતી.

કેરળમાં UDF ગઠબંધને 140 માંથી 102 બેઠકો જીતીને શાનદાર વાપસી કરી છે, જેમાં કોંગ્રેસના ફાળે 63 બેઠકો આવી છે. ભલે ધારાસભ્યોના જૂથમાં વેણુગોપાલનું પલ્લું ભારે હતું, પરંતુ સહયોગી પક્ષો IUML અને કેરળ કોંગ્રેસ (જોસેફ) એ સતીશનના નામ પર મહોર મારી હતી.

સતીશને પોતાની નિમણૂકને ‘દૈવી કૃપા’ ગણાવી હતી અને તમામ વરિષ્ઠ નેતાઓને સાથે રાખીને ચાલવાનો વિશ્વાસ અપાવ્યો હતો. વેણુગોપાલે પણ પક્ષના નિર્ણયને શિરોધાર્ય ગણાવતા કહ્યું હતું કે તેઓ એક સાચા કોંગ્રેસી તરીકે આ નિર્ણયને આવકારે છે.

Chief Editor

Recent Posts

અદાણી+ મિસાઇલ + મધ્યપ્રદેશ

'અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ'......અદાણી ગ્રૂપ મધ્ય પ્રદેશમાં રૂ. ૧,૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરશે શિવપુરી (મધ્ય પ્રદેશ):…

13 hours ago

રેલ્વેની ચોમાસાની તૈયારી અને સલામતી પર ખાસ ધ્યાન

અમદાવાદ મંડળ: ડીઆરએમ વેદ પ્રકાશે ચોમાસાની તૈયારીઓ અને વિવિધ નિર્માણ કાર્યોનું સઘન નિરીક્ષણ કર્યું પશ્ચિમ…

20 hours ago

પાલીતાણાના ગરાજીયા ગામમાં પશુપાલક પર સિંહણનો જીવલેણ હુમલો: વન વિભાગ સામે ગ્રામજનોમાં ભારે રોષ

Palitana Lion Attack | ભાવનગર (Bhavnagar) જિલ્લાના પાલીતાણા (Palitana) તાલુકામાં આવેલા ગરાજીયા ગામે વન્ય પ્રાણીઓનો આતંક…

20 hours ago

રાજ્યપાલ સાથે GAS કેડરમાંથી IASમાં પ્રમોટ થયેલા અધિકારીઓની શુભેચ્છા મુલાકાત

લોકોની સેવા એ જ આત્મસંતોષ અને સુખ મેળવવાનું સર્વોત્તમ માધ્યમ છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી…

21 hours ago

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા

પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ભારતીય જન સંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર…

21 hours ago

ગુજરાતમાં મેઘતાંડવ: 6 જિલ્લામાં રેડ એલર્ટ અને અમદાવાદમાં 4 ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત

Gujarat Rain Update |  ગુજરાતમાં ચોમાસું પુરેપુરી રીતે સક્રિય થઈ ગયું છે, જેના કારણે રાજ્યમાં…

22 hours ago