Gujarat

ગુજરાતમાં 1,141 વ્યાયામ શિક્ષકોની ભરતી થશે, જાણો લાયકાત અને વયમર્યાદાની વિગતો

Teacher Bharti 2026 | ગુજરાત સરકાર (Gujarat Government)ના શિક્ષણ વિભાગે (Education Department) રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી 1,141 વ્યાયામ શિક્ષકોની (PE Teachers) જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. મુખ્યમંત્રીની મંજૂરી બાદ આ ભરતી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ભરતી પ્રક્રિયા અને મેરિટના માપદંડો
આ ભરતી મુખ્યત્વે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે વ્યાયામ શિક્ષકોની નિમણૂક કરવા માટે છે. પસંદગી પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ (State Examination Board) દ્વારા લેવામાં આવતી સ્કૂલ એપ્ટિટ્યુડ ટેસ્ટ (SAT)ના મેરિટને (Merit) મુખ્ય આધાર ગણવામાં આવશે. આ પરીક્ષાના ગુણાંકના આધારે જ અંતિમ મેરિટ યાદી તૈયાર થશે.

વયમર્યાદામાં મોટી છૂટછાટ
રાજ્ય સરકારે આ ભરતીમાં ઉમેદવારોને વયમર્યાદામાં વિશેષ 3 વર્ષની છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે 35 વર્ષની મર્યાદા હોય છે, પરંતુ હવે સામાન્ય વર્ગના ઉમેદવારો 38 વર્ષ સુધી અરજી કરી શકશે. જ્યારે અનામત વર્ગના (SC, ST, OBC અને EWS) ઉમેદવારો માટે 43 વર્ષ અને અનામત વર્ગની મહિલા ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 48 વર્ષ સુધી રાખવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ
ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduate) હોવું જોઈએ અને તેમની પાસે C.P.Ed, B.P.Ed અથવા D.P.Ed જેવી વ્યાવસાયિક ડિગ્રી હોવી અનિવાર્ય છે. આ ઉપરાંત SAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. નવા નિમણૂક પામેલા શિક્ષકોને પ્રથમ 5 વર્ષ ફિક્સ પગાર (Fixed Pay) નીતિ મુજબ માસિક વેતન આપવામાં આવશે. આ સમયગાળો પૂર્ણ કર્યા બાદ જ તેમને નિયમિત પગારધોરણનો લાભ મળશે.

Chief Editor

Recent Posts

અદાણી+ મિસાઇલ + મધ્યપ્રદેશ

'અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ'......અદાણી ગ્રૂપ મધ્ય પ્રદેશમાં રૂ. ૧,૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરશે શિવપુરી (મધ્ય પ્રદેશ):…

15 hours ago

રેલ્વેની ચોમાસાની તૈયારી અને સલામતી પર ખાસ ધ્યાન

અમદાવાદ મંડળ: ડીઆરએમ વેદ પ્રકાશે ચોમાસાની તૈયારીઓ અને વિવિધ નિર્માણ કાર્યોનું સઘન નિરીક્ષણ કર્યું પશ્ચિમ…

22 hours ago

પાલીતાણાના ગરાજીયા ગામમાં પશુપાલક પર સિંહણનો જીવલેણ હુમલો: વન વિભાગ સામે ગ્રામજનોમાં ભારે રોષ

Palitana Lion Attack | ભાવનગર (Bhavnagar) જિલ્લાના પાલીતાણા (Palitana) તાલુકામાં આવેલા ગરાજીયા ગામે વન્ય પ્રાણીઓનો આતંક…

22 hours ago

રાજ્યપાલ સાથે GAS કેડરમાંથી IASમાં પ્રમોટ થયેલા અધિકારીઓની શુભેચ્છા મુલાકાત

લોકોની સેવા એ જ આત્મસંતોષ અને સુખ મેળવવાનું સર્વોત્તમ માધ્યમ છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી…

22 hours ago

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા

પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ભારતીય જન સંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર…

23 hours ago

ગુજરાતમાં મેઘતાંડવ: 6 જિલ્લામાં રેડ એલર્ટ અને અમદાવાદમાં 4 ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત

Gujarat Rain Update |  ગુજરાતમાં ચોમાસું પુરેપુરી રીતે સક્રિય થઈ ગયું છે, જેના કારણે રાજ્યમાં…

23 hours ago