Palitana Lion Attack | ભાવનગર (Bhavnagar) જિલ્લાના પાલીતાણા (Palitana) તાલુકામાં આવેલા ગરાજીયા ગામે વન્ય પ્રાણીઓનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. ગરાજીયા ગામના વતની કાળુભાઇ બોઘાભાઈ પરમાર નામના પશુપાલક રોજની જેમ સીમ વિસ્તારમાં પોતાના માલઢોર ચરાવવા માટે ગયા હતા.
આ દરમિયાન અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલી સિંહણે તેમના પર જીવલેણ (Lion Attack) હુમલો કરી દીધો હતો. આ હિંસક હુમલામાં સિંહણે કાળુભાઈના શરીરના ઉપરના ભાગે પંજા માર્યા હતા અને તેમનો હાથ મોંમાં લઈ લીધો હતો, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.
પશુપાલકની ચીસાચીસ અને પશુઓના હોબાળાને પગલે આસપાસથી સ્થાનિક લોકો દોડી આવતા સિંહણ ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને ઘાયલ પશુપાલકને તાત્કાલિક સારવાર માટે પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ (Hospital) ખાતે ખસેડવામાં આવ્યા છે.
પાલિતાણા ના ના ગરજીયા ગામે માલધારી કાળુભાઈ ગમારા પર સિંહે કર્યો હુમલો કર્યો છે.
સીમ વિસ્તારમાં આવેલ માલધારીના ઘરે સિંહે કર્યો હુમલો કર્યો હતો, ઇજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા છે.#Lion#Gir#Bhavnagar#AnimalAttack pic.twitter.com/zSN4ViANvB
— Dr. Kiran J Patel (@kiranpatel1977) July 6, 2026
સિંહ ઘરમાં ઘૂસી જતાં અફરાતફરી અને ભયનો માહોલ સ્થાનિક રહેવાસી હેમુભાઈ ગઢવીના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે અંદાજે 8:30 થી 9 વાગ્યાની આસપાસ બની હતી. સિંહણે નેહડું પાસેથી દોડીને પશુપાલક પર હુમલો કર્યો હતો. હુમલા બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિ ત્યાંથી ભાગીને પોતાની બહેનના ઘરે અને ત્યારબાદ બીજા એક ઘરે ગયો હતો, જ્યાં સિંહ પણ પાછળ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઈજાગ્રસ્તના સગા જયેશ ગમારાના જણાવ્યા મુજબ, અગાઉ સિંહ હંમેશાં ગામની બહાર જ રહેતો હતો, પરંતુ આ પહેલીવાર બન્યું છે કે સિંહણ સીધી ઘરની અંદર સુધી આવી ગઈ છે. આ ઘટનાનો એક વીડિયો (Video) પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં સિંહ યુવકનો પગ પકડીને બેઠો હોય તેવું દ્રશ્યમાન થાય છે. આ ઘટના બાદ ગામના લોકોમાં એટલો ભય વ્યાપી ગયો છે કે તેઓ હવે પોતાના બાળકોને એકલા શાળાએ મોકલતા પણ ડરી રહ્યા છે.
વન વિભાગની મોડી કામગીરી સામે પરિવારનો આક્રોશ આ હિંસક ઘટના બાદ ઈજાગ્રસ્તના પરિવારજનો અને ગ્રામજનોમાં વન વિભાગ (Forest Department) સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારનો ગંભીર આક્ષેપ છે કે સિંહણના હુમલાની તુરંત જાણ કરવા છતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે લગભગ 2 કલાક મોડી પહોંચી હતી.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ આવ્યા ખરા પરંતુ માત્ર જોઈને જતા રહ્યા હતા અને કોઈ કડક પગલાં લીધા નહોતા તેમજ પૂછપરછ દરમિયાન યોગ્ય જવાબ પણ આપ્યો નહોતો.
ગરાજીયા અને આસપાસના ગામના લોકોએ વન વિભાગ પાસે ઉગ્ર માંગ કરી છે કે આ હિંસક સિંહણને વહેલી તકે પાંજરે પૂરીને (કબજે કરીને) માનવ વસ્તીથી દુર ખસેડવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ફરી ન બને.
અમદાવાદ મંડળ: ડીઆરએમ વેદ પ્રકાશે ચોમાસાની તૈયારીઓ અને વિવિધ નિર્માણ કાર્યોનું સઘન નિરીક્ષણ કર્યું પશ્ચિમ…
લોકોની સેવા એ જ આત્મસંતોષ અને સુખ મેળવવાનું સર્વોત્તમ માધ્યમ છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી…
પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ભારતીય જન સંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર…
Gujarat Rain Update | ગુજરાતમાં ચોમાસું પુરેપુરી રીતે સક્રિય થઈ ગયું છે, જેના કારણે રાજ્યમાં…
બ્રાઝિલનું સપનું તૂટ્યું અને નેમારનો કરિયર પર પડદો બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમારે ઇન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા…
ઇન્ડિયા એસોસિએશન ઓફ નોર્થ ટેક્સાસ (ઇન્ડિયા એસોસિએશન ઓફ નોર્થ ટેક્સાસ) એ 27 જૂનના રોજ ટેક્સાસના…