Categories: Uncategorized

પાલીતાણાના ગરાજીયા ગામમાં પશુપાલક પર સિંહણનો જીવલેણ હુમલો: વન વિભાગ સામે ગ્રામજનોમાં ભારે રોષ

Palitana Lion Attack | ભાવનગર (Bhavnagar) જિલ્લાના પાલીતાણા (Palitana) તાલુકામાં આવેલા ગરાજીયા ગામે વન્ય પ્રાણીઓનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. ગરાજીયા ગામના વતની કાળુભાઇ બોઘાભાઈ પરમાર નામના પશુપાલક રોજની જેમ સીમ વિસ્તારમાં પોતાના માલઢોર ચરાવવા માટે ગયા હતા.

આ દરમિયાન અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલી સિંહણે તેમના પર જીવલેણ (Lion Attack) હુમલો કરી દીધો હતો. આ હિંસક હુમલામાં સિંહણે કાળુભાઈના શરીરના ઉપરના ભાગે પંજા માર્યા હતા અને તેમનો હાથ મોંમાં લઈ લીધો હતો, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.

પશુપાલકની ચીસાચીસ અને પશુઓના હોબાળાને પગલે આસપાસથી સ્થાનિક લોકો દોડી આવતા સિંહણ ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને ઘાયલ પશુપાલકને તાત્કાલિક સારવાર માટે પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ (Hospital) ખાતે ખસેડવામાં આવ્યા છે.

સિંહ ઘરમાં ઘૂસી જતાં અફરાતફરી અને ભયનો માહોલ સ્થાનિક રહેવાસી હેમુભાઈ ગઢવીના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે અંદાજે 8:30 થી 9 વાગ્યાની આસપાસ બની હતી. સિંહણે નેહડું પાસેથી દોડીને પશુપાલક પર હુમલો કર્યો હતો. હુમલા બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિ ત્યાંથી ભાગીને પોતાની બહેનના ઘરે અને ત્યારબાદ બીજા એક ઘરે ગયો હતો, જ્યાં સિંહ પણ પાછળ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઈજાગ્રસ્તના સગા જયેશ ગમારાના જણાવ્યા મુજબ, અગાઉ સિંહ હંમેશાં ગામની બહાર જ રહેતો હતો, પરંતુ આ પહેલીવાર બન્યું છે કે સિંહણ સીધી ઘરની અંદર સુધી આવી ગઈ છે. આ ઘટનાનો એક વીડિયો (Video) પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં સિંહ યુવકનો પગ પકડીને બેઠો હોય તેવું દ્રશ્યમાન થાય છે. આ ઘટના બાદ ગામના લોકોમાં એટલો ભય વ્યાપી ગયો છે કે તેઓ હવે પોતાના બાળકોને એકલા શાળાએ મોકલતા પણ ડરી રહ્યા છે.

વન વિભાગની મોડી કામગીરી સામે પરિવારનો આક્રોશ આ હિંસક ઘટના બાદ ઈજાગ્રસ્તના પરિવારજનો અને ગ્રામજનોમાં વન વિભાગ (Forest Department) સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારનો ગંભીર આક્ષેપ છે કે સિંહણના હુમલાની તુરંત જાણ કરવા છતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે લગભગ 2 કલાક મોડી પહોંચી હતી.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ આવ્યા ખરા પરંતુ માત્ર જોઈને જતા રહ્યા હતા અને કોઈ કડક પગલાં લીધા નહોતા તેમજ પૂછપરછ દરમિયાન યોગ્ય જવાબ પણ આપ્યો નહોતો.

ગરાજીયા અને આસપાસના ગામના લોકોએ વન વિભાગ પાસે ઉગ્ર માંગ કરી છે કે આ હિંસક સિંહણને વહેલી તકે પાંજરે પૂરીને (કબજે કરીને) માનવ વસ્તીથી દુર ખસેડવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ફરી ન બને.

Chief Editor

Recent Posts

વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર મજબૂત, ઘરઆંગણે માંગ અને ઉત્પાદનમાં તેજીનો દાવો

વૈશ્વિક સ્તરે આર્થિક અને જીઓપોલિટિકલ (Geopolitical) અસ્થિરતા વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર (Indian Economy) સતત મજબૂતી…

3 hours ago

કિસાન વિકાસ પત્રમાં પૈસા થશે ડબલ! જાણો વ્યાજ દર અને રોકાણના નિયમો

Kisan Vikas Patra | ભારત સરકાર નાગરિકો માટે સલામત અને સુરક્ષિત રોકાણના અનેક વિકલ્પો પ્રદાન…

3 hours ago

અમેરિકા જવાનું સપનું જોનારાઓને મોટો ફટકો: ટ્રમ્પે વિશ્વભરમાં વિઝા ઇન્ટરવ્યુ પર રોક લગાવી

US Visa Pause | ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના નેતૃત્વ હેઠળના અમેરિકન પ્રશાસને ઇમિગ્રેશન નિયમોને…

4 hours ago

રશિયાના ગેસ પ્લાન્ટમાં ભીષણ આગ: 6 ચીની નાગરિકો સહિત 7 ના મોત, 9 હજુ લાપતા

Russia Gas Plant Fire | રશિયાના (Russia) સુદૂર પૂર્વમાં આવેલા અમૂર વિસ્તારના એક ગેસ કેમિકલ…

4 hours ago

કારનું AC ચાલુ રાખવાની આ ભૂલ તમને કરી શકે છે સ્વાઈન ફ્લૂનો શિકાર! જાણો બચવાના રસ્તા

Swine Flu Car AC |  દિલ્હી-NCR (Delhi-NCR) સહિત દેશના ઘણા ભાગોમાં સ્વાઈન ફ્લૂ એટલે કે…

4 hours ago