Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

સુરતમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા: ભાજપના નેતાની જાહેરમાં તીક્ષ્ણ હથિયારથી ક્રૂર હત્યા

Chief Editor May 18, 2026
surat-bjp-youth-leader-jay-dalal-murdered-in-udhna

Surat BJP Leader Murder | સુરત (Surat) શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના ઉધના (Udhna) રોડ નંબર 6 ખાતે ભાજપ (BJP) ના યુવા પદાધિકારી જય દલાલની (Jay Dalal) તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરાતા ચકચાર મચી ગઇ છે.

મૃતક જય દલાલ લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલના નજીકના મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલનો પુત્ર હતો. તે પોતે ડિંડોલી (Dindoli) વોર્ડ યુવા મોરચાના ઉપ પ્રમુખ તરીકે પક્ષની જવાબદારી સંભાળતો હતો.

માતા જયશ્રીબેને રડતા અવાજે જણાવ્યું કે, તેમનો 21 વર્ષનો એકનો એક પુત્ર જય કોઈ મિત્રનો ફોન આવતા રાત્રે 8:30 વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મધ્યરાત્રિએ તેને હોસ્પિટલ (Hospital) ખસેડાયાના સમાચાર મળ્યા હતા, જ્યાં તેણે દમ તોડી દીધો હતો. માતાના આક્ષેપ અનુસાર, મિલિન ચકલી અને પંકજ પાટીલ સહિતના 3 આરોપીઓએ અદાવત રાખીને આ ક્રૂર હત્યાને અંજામ આપ્યો છે.

આરોપીઓ તાજેતરમાં જ પાસા (PASA) માંથી બહાર આવ્યા છે. તેમને એવી આશંકા હતી કે, જયના કારણે જ તેમને જેલ થઈ હતી. ભયભીત માતાએ પ્રશાસન પાસે હત્યારાઓને ફાંસીની (Death Penalty) સજા આપવાની માગ કરી છે. સત્તાધારી પક્ષના જ એક 21 વર્ષના યુવા નેતાની આ રીતે જાહેરમાં હત્યા થઈ જતાં સમગ્ર સુરત રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ (Police) કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: BJP (બીજેપી) Murder (હત્યા) Surat (સુરત)

Post navigation

Previous: કેરલમમાં વી.ડી. સતીશને લીધા CM પદના શપથ, 60 વર્ષ બાદ પૂર્ણ કેબિનેટે એકસાથે શપથ ગ્રહણ કર્યા
Next: બંગામાં ટીએમસીએ કોંગ્રેસ સાથે હાથ ન મિલાવી કરી ભૂલ? આટલી બેઠકો પર પડ્યો ફટકો
Follow

Recent Posts

  • કેનેડા ઇમિગ્રેશન રૂલ્સ 2026: વિદ્યાર્થીઓ, વર્કર્સ અને PR ઇચ્છુકો માટે બદલાયા મોટા નિયમો
  • Canada Study Visa: ભારતીય વિદ્યાર્થીઓ કેમ કેનેડા જવાનું ટાળી રહ્યા છે?
  • કેનેડાથી 5 વર્ષ પછી ભારત પરત ફરેલા વિદ્યાર્થીની દર્દનાક આપવીતી: ‘પૈસા કમાવવાનું બંધ થતાં જ લોકોનો વ્યવહાર બદલાઈ ગયો’
  • કેનેડામાં પત્નીની હત્યાના કેસમાં ભારતીય મૂળના જગપ્રીત સિંહ દોષિત ઠર્યા; કોર્ટે ‘ભૂલથી છરી વાગી’ હોવાની દલીલ ફગાવી
  • નવસારી, વલસાડ અને કડીમાં મેઘતાંડવ: ૨૪ કલાકમાં ૧૭૨ તાલુકામાં વરસાદ, ૧૯ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.