સુપ્રીમ કોર્ટે (Supreme Court) ધર્મ પરિવર્તન (Religion Conversion) ના મામલે એક ઐતિહાસિક (Historic) ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વ્યક્તિ હિન્દુ (Hindu), શીખ (Sikh) કે બૌદ્ધ (Buddhist) ધર્મ સિવાયનો અન્ય કોઈ ધર્મ અપનાવે છે, તો તેને અનુસૂચિત જાતિ (Scheduled Caste – SC) નો દરજ્જો મળી શકશે નહીં.
ખાસ કરીને, જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી (Christian) ધર્મ અપનાવે છે, તો તે SC/ST એક્ટ (SC/ST Act) હેઠળ મળતા રક્ષણ (Protection) કે લાભોનો દાવો કરી શકશે નહીં.
જસ્ટિસ પીકે મિશ્રા (Justice PK Mishra) અને જસ્ટિસ એ વી અંજારિયા (Justice AV Anjaria)ની બેન્ચે (Bench) આંધ્રપ્રદેશ હાઈકોર્ટના (High Court) નિર્ણયને યથાવત રાખ્યો છે.
સુપ્રીમ કોર્ટે (Supreme Court) નોંધ્યું કે ખ્રિસ્તી ધર્મનું પાલન કરનાર વ્યક્તિ SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ, 1989 (SC/ST Prevention of Atrocities Act, 1989) હેઠળ બંધારણીય લાભો (Constitutional Benefits) મેળવવા હકદાર નથી.
કોર્ટના રેકોર્ડ મુજબ, કેસનો મુખ્ય પક્ષકાર છેલ્લા 10 વર્ષથી પાદરી (Pastor) તરીકે સેવા આપતો હતો. આ તથ્યોને આધારે સર્વોચ્ચ અદાલતે (Supreme Court) ઠેરવ્યું કે અન્ય ધર્મની પરંપરાઓ અપનાવતા જ વ્યક્તિનો SC દરજ્જો આપોઆપ સમાપ્ત (Automatically Terminated) થઈ જાય છે. આ ચુકાદો અનામત (Reservation) અને કાયદાકીય સુરક્ષાના નિયમોને વધુ સ્પષ્ટ કરે છે.
'અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ'......અદાણી ગ્રૂપ મધ્ય પ્રદેશમાં રૂ. ૧,૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરશે શિવપુરી (મધ્ય પ્રદેશ):…
અમદાવાદ મંડળ: ડીઆરએમ વેદ પ્રકાશે ચોમાસાની તૈયારીઓ અને વિવિધ નિર્માણ કાર્યોનું સઘન નિરીક્ષણ કર્યું પશ્ચિમ…
Palitana Lion Attack | ભાવનગર (Bhavnagar) જિલ્લાના પાલીતાણા (Palitana) તાલુકામાં આવેલા ગરાજીયા ગામે વન્ય પ્રાણીઓનો આતંક…
લોકોની સેવા એ જ આત્મસંતોષ અને સુખ મેળવવાનું સર્વોત્તમ માધ્યમ છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી…
પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ભારતીય જન સંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર…
Gujarat Rain Update | ગુજરાતમાં ચોમાસું પુરેપુરી રીતે સક્રિય થઈ ગયું છે, જેના કારણે રાજ્યમાં…