SC on Freebies | ગુરુવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતી મફતની લહાણી (Freebies) સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. ચીફ જસ્ટિસ સૂર્યકાંત (CJI Surya Kant) ની અધ્યક્ષતાવાળી બેન્ચે પ્રશ્ન કર્યો હતો કે, શું આવી યોજનાઓ ખરેખર જાહેર હિતમાં છે?
તુષ્ટિકરણની નીતિ સામે ચેતવણીઃ તમિલનાડુ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસે જણાવ્યું કે, “કલ્યાણકારી રાજ્ય (Welfare State) તરીકે ગરીબોને મદદ કરવી સમજાય છે, પરંતુ સક્ષમ અને અસમર્થ વચ્ચે ભેદ પાડ્યા વગર મફત વીજળી (Free Electricity), સાયકલ કે રોકડ આપવી એ શું માત્ર તુષ્ટિકરણ (Appeasing Policy) નથી?”
વિકાસના ભોગે લહાણી કેમ? કોર્ટે ટકોર કરી હતી કે મોટાભાગના રાજ્યો દેવા હેઠળ છે, તેમ છતાં આવી યોજનાઓ જાહેર કરવામાં આવે છે. સીજેઆઈએ પૂછ્યું કે, “જો તમે મફત કપડાં અને ખોરાક વહેંચ્યા કરશો, તો રસ્તા, હોસ્પિટલ અને શાળાઓના વિકાસ (Development) માટે નાણાં ક્યાંથી આવશે? સરકારે રોજગાર (Employment) ઉભો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.”
કરદાતાઓના નાણાંનો દુરુપયોગઃ બેન્ચે અવલોકન કર્યું કે આ યોજનાઓનો આર્થિક બોજ અંતે કરદાતાઓ (Taxpayers) પર જ પડે છે. ચૂંટણી સમયે લોકો આવી લહાણીનો આનંદ માણે છે, પરંતુ લાંબે ગાળે તે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાજકીય પક્ષો ચૂંટણી હાર્યા બાદ લોકપ્રિયતા મેળવવા ન્યાયતંત્રનો ઉપયોગ ન કરે, પરંતુ ફ્રીબીઝના ગંભીર મુદ્દા પર કોર્ટ ચોક્કસ વિચારણા કરશે.
