Sonam Raghuvanshi Bail Cancel | બહુચર્ચિત રાજા રઘુવંશી મર્ડર કેસ (Raja Raghuvanshi Murder Case) માં સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી મુખ્ય આરોપી અને મૃતકની પત્ની સોનમ રઘુવંશી (Sonam Raghuvanshi) ને મોટો ઝટકો લાગ્યો છે. સર્વોચ્ચ અદાલતે સોનમ રઘુવંશીની જામીન અરજી રદ્દ કરી દીધી છે અને તેને ૩ અઠવાડિયાની અંદર સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે.
મેઘાલય સરકારે જામીનને આપી હતી પડકાર
ઈન્દોર (Indore) ના ટ્રાન્સપોર્ટ વેપારી રાજા રઘુવંશીની લગ્ન બાદ હનીમૂન (Honeymoon) દરમિયાન હત્યા કરવામાં આવી હતી. આ હાઇ-પ્રોફાઇલ હત્યાકાંડમાં તેની પત્ની સોનમ રઘુવંશી અને તેના પ્રેમી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. હાઈકોર્ટ દ્વારા સોનમને મળેલી જામીન વિરુદ્ધ મેઘાલય સરકાર (Meghalaya Government) સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મેઘાલય સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા (Tushar Mehta) એ દલીલ કરી હતી કે:
સોનમને માત્ર એક નાની ટેકનિકલ ભૂલ (અરેસ્ટ મેમોમાં કાનૂની કલમ ટાઈપ કરવામાં આવેલી ક્ષતિ) ના આધારે જામીન મળ્યા હતા.
આવી નાની ટેકનિકલ ખામીના આધારે ગંભીર ગુનાના આરોપીને જામીન આપવા યોગ્ય નથી.
જો જામીન ચાલુ રહેશે તો આરોપી દેશ છોડીને ફરાર થઈ જવાની શક્યતા છે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો
અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીને બે વિકલ્પ આપ્યા હતા—તે સ્વેચ્છાએ સરેન્ડર કરે અથવા કોર્ટ જામીન રદ્દ કરવાનો આદેશ આપશે. 23 જુલાઈ 2026 ના રોજ સુપ્રીમ કોર્ટે સોનમની જામીન રદ્દ કરીને તેને આગામી 3 અઠવાડિયામાં જેલ તંત્ર કે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો કડક આદેશ આપ્યો છે.
