ક્રિકેટ જગતમાં ‘રાવલપિંડી એક્સપ્રેસ’ તરીકે જાણીતા શોએબ અખ્તરે (Shoaib Akhtar) ફરી એકવાર પોતાના નિવેદનથી ખળભળાટ મચાવ્યો છે. અખ્તરનો દાવો છે કે જો બીસીસીઆઈ (BCCI) પાકિસ્તાની ખેલાડીઓ માટે આઈપીએલ (IPL) ના દરવાજા ખોલી દે, તો બાબર આઝમ (Babar Azam) અને શાહીન આફ્રિદી (Shaheen Afridi) જેવા દિગ્ગજ ખેલાડીઓ પોતાની હોમ લીગ એટલે કે પીએસએલ (PSL) છોડવામાં એક ક્ષણનો પણ વિલંબ નહીં કરે.
શોએબ અખ્તરે આઈપીએલ સામે પીએસએલને ‘બચ્ચું’ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાની ખેલાડીઓને આઈપીએલમાં રમવાની મંજૂરી મળે, તો તેઓ તરત જ ભારત દોડી આવશે. આ સાથે જ તેમણે પીએસએલ છોડીને આઈપીએલમાં આવતા વિદેશી ખેલાડીઓ સામે કડક કાર્યવાહી (Action) કરવાની પણ સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૮ (2008) માં આઈપીએલની પ્રથમ સીઝનમાં શોએબ અખ્તર પોતે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમી ચૂક્યા છે. જોકે, હાલમાં ભારત સરકાર કે બીસીસીઆઈ તરફથી પાકિસ્તાની ખેલાડીઓની એન્ટ્રી અંગે કોઈ સત્તાવાર હલચલ નથી.
Irfan Pathan Criticism | અફઘાનિસ્તાન સામેની આગામી વનડે અને ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થતાં…
IND vs AFG | ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) અફઘાનિસ્તાન સામે રમાનારી આગામી વનડે સિરીઝ…
PM Modi Italy Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં ઈટાલી…
Giorgia Meloni Biography | વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટલી (Italy) પહોંચ્યા…
Bhavnagar Road Accident | ભાવનગર-ધોલેરા હાઇવે પર (Highway) મોડી રાત્રે એક હૃદયધબકારા રોકી દેતી મોટી દુર્ઘટના…
Market Crash India | ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની આશંકાઓને કારણે વૈશ્વિક સ્તરે ઇંધણના સંકટની (Fuel…