શાહી ખાનદાનમાં જન્મેલા સૈફ અલી ખાન (Saif Ali Khan) બોલિવૂડ (Bollywood) ઇન્ડસ્ટ્રીના ટોપ એક્ટર્સમાં શુમાર છે. જોકે ફિલ્મોની સાથે તેઓ પોતાની પર્સનલ લાઈફ (Personal Life) ને લઈને પણ હંમેશા ચર્ચામાં રહ્યા છે. કરિયરની શરૂઆતમાં તેમને પોતાનાથી 13 વર્ષ મોટા અમૃતા સિંઘ (Amrita Singh) સાથે પ્રેમ થયો હતો અને બંનેએ ગુપચુપ લગ્ન કરી લીધા હતા, જેની અસર તેમના કરિયર (Career) પર પણ પડી હતી.
એક ખાસ ઇન્ટરવ્યુમાં સૈફ અલી ખાને ખુલાસો કર્યો હતો કે શરૂઆતમાં તેમને અમૃતા સિંઘ સાથેના લગ્ન સિક્રેટ (Secret) રાખવા માટે કહેવામાં આવ્યું હતું. સૈફે જણાવ્યું કે, “મને યાદ છે કે એક સિનિયર એક્ટરે મને સલાહ આપી હતી કે હું કોઈને પણ એવું ન કહું કે હું પરિણીત છું. મને સમજાતું નથી કે તેમણે મને આવું કેમ કહ્યું હતું. કદાચ તેઓ એવું માનતા હતા કે લગ્નની વાત બહાર આવવાથી મારી ઈમેજ (Image) અને ફેન ફોલોઈંગ (Fan Following) ખરાબ થઈ જશે. આ અત્યાર સુધીની સૌથી ખરાબ અને વિચિત્ર સલાહ હતી જે મને મળી હતી.”
ફિલ્મી પરિવારમાંથી આવવા છતાં સૈફ માટે બોલિવૂડની સફર સરળ નહોતી. એક ફિલ્મમેકરે (Filmmaker) તેમને ચેતવણી આપી હતી કે તેઓ પોલીસવાળાનો રોલ ન કરે, કારણ કે તેઓ તેમાં મજાકિયા લાગશે. આ કારણે સૈફના મનમાં હંમેશા એક ડર રહેતો હતો કે ક્યાંક લોકો તેમનો મજાક ન ઉડાવે.
સૈફે ઉમેર્યું કે, “જ્યારે મેં કામ શરૂ કર્યું, ત્યારે મારો એક જ હેતુ હતો કે લોકો મારા પર હસે નહીં. એક ડિરેક્ટરે (Director) મને કહ્યું હતું કે જો ફિલ્મ યોગ્ય નહીં બને તો ચંદન સિનેમા હોલમાં (Cinema Hall) લોકો મારા પર હસશે, નફરત કરશે અને હું કામ ગુમાવી બેસીશ. કોઈ પણ નવો એક્ટર શરૂઆતમાં બેવકૂફ દેખાવા નથી માંગતો. એકવાર તમે એ સ્ટેજ પાર કરી લો, પછી તમે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) બનવા ઈચ્છો છો.”
સૈફે પોતાના કરિયરમાં સખત મહેનત કરી અને ઈન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવ્યું. પર્સનલ લાઈફની વાત કરીએ તો, અમૃતા સિંઘ સાથે તલાક (Divorce) લીધા બાદ સૈફે વર્ષ 2012 માં કરીના કપૂર (Kareena Kapoor) સાથે લગ્ન કર્યા હતા. આ બીજી શાદીથી તેમના 2 દીકરા તૈમૂર અને જેહ છે, જ્યારે પહેલી પત્નીથી તેમને 2 બાળકો સારા અને ઇબ્રાહિમ છે.
*** ગુજરાતનું જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશમાં સર્વશ્રેષ્ઠ: ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ ***…
સાણંદની સેમિકન્ડક્ટર ક્ષેત્રે હેટ્રિક : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ₹૭,૬૦૦ કરોડના અત્યાધુનિક સીજી સેમિકોનના કમર્શિયલ…
ગુજરાતનાં સાપોનું ઝેર હવે બનશે ‘સંજીવની’: 'એન્ટી-સ્નેક વેનમ' બનાવવા માટે કંપનીને સોંપાયું ઝેર વલસાડનાં…
“રેલ મંત્રી તમારો ભાઈ છે, તમારી વચ્ચે જ છે. આરામથી બધા સેલ્ફી લઈ લો.” …
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ અમદાવાદના વિકાસ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની સમીક્ષા કરી અમદાવાદ…
શ્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ…