S. Jaishankar in Lok Sabha: બજેટ સત્ર (Budget Session)નો બીજો તબક્કો આજથી શરૂ થયો છે. પ્રથમ દિવસે વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાન (Iran) અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અંગે બંને ગૃહોમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. જયશંકરે જણાવ્યું કે ભારત આ વિસ્તારમાં સાર્વભૌમત્વ (Sovereignty)નું સમર્થક છે અને વાતચીત દ્વારા ઉકેલ લાવવામાં માને છે.
ગલ્ફ રિજન (Gulf Region)માં વસતા આશરે 1 કરોડ (10 Million) ભારતીયોની સુરક્ષા અંગે સરકાર કટિબદ્ધ છે. CCSની બેઠકમાં પણ આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વિદેશ મંત્રીએ ઉમેર્યું કે, “અમે જાન્યુઆરી (January) માસથી જ નાગરિકોને સ્વદેશ પરત ફરવા એડવાઇઝરી (Advisory) જાહેર કરી હતી.” અત્યાર સુધીમાં 67,000 ભારતીયો સુરક્ષિત રીતે પરત ફર્યા છે.
યુદ્ધના કારણે સપ્લાય ચેઇન (Supply Chain) પ્રભાવિત થઈ હોવાથી સરકાર ઊર્જા (Energy) જરૂરિયાતો અને આંતરરાષ્ટ્રીય તેલના ભાવ પર સતત નજર રાખી રહી છે. વડાપ્રધાન મોદી (PM Modi) એ UAE, કતાર અને ઈઝરાયલ (Israel) સહિતના દેશોના વડાઓ સાથે રાજદ્વારી (Diplomatic) ચર્ચા કરી છે. એક તરફ જયશંકર સરકારનો પક્ષ રજૂ કરી રહ્યા હતા, બીજી તરફ વિપક્ષી સાંસદોએ ગૃહમાં સૂત્રોચ્ચાર સાથે હોબાળો કર્યો હતો.
