PoK JAAC Movement | પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (PoK) માં ચાલી રહેલા જેએએસી (JAAC) આંદોલનને રોકવા માટે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI) એ કથિત રીતે ‘પીસ કમિટી’ (Peace Committee) ના નામે એક પ્રતિનિધિમંડળ રાવલાકોટ (Rawalakot) મોકલ્યું છે.
આ સમિતિ પર હવે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે તેમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) નો સીનિયર કમાન્ડર ઈલિયાસ કશ્મીરી (Ilyas Kashmiri) પણ સામેલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મળેલા 1 વાયરલ વીડિયો મુજબ, ઈલિયાસ કશ્મીરી આ કથિત ‘પીસ કમિટી’ નો ભાગ હતો અને વીડિયોમાં તે કેમેરાથી બચતો જોવા મળી રહ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ એ પ્રશ્ન વધુ ઘેરો બન્યો છે કે જો આ ટીમ શાંતિ વાટાઘાટો માટે બનાવવામાં આવી હતી, તો તેમાં કોઈ કુખ્યાત આતંકી કમાન્ડરની હાજરી કેમ હતી.
ઈલિયાસ કશ્મીરી એ જ શખ્સ છે જેણે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પછી દાવો કર્યો હતો કે ભારતીય સેનાની કાર્યવાહીમાં મસૂદ અઝહર (Masood Azhar) ના પરિવારજનો માર્યા ગયા હતા.
બીજી તરફ, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (Laskhar-e-Taiba) પણ જેએએસી આંદોલન સામે ખુલ્લેઆમ મેદાનમાં ઉતરી આવ્યું છે. પ્રાપ્ત ઈનપુટ્સ અનુસાર, આ સંગઠન સ્થાનિક જેએએસી નેતાઓને ‘ગદ્દાર’ કહીને તેમની વિરુદ્ધ પ્રચાર અભિયાન ચલાવી રહ્યું છે.
સ્થાનિક નાગરિકોના ઉગ્ર વિરોધ પ્રદર્શન અને જન આંદોલન વચ્ચે પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈ ની આ ચાલાકી સામે આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન, તેની સૈન્ય એજન્સીઓ અને આતંકવાદીઓ વચ્ચેની મિલીભગત ખુલ્લી પડી ગઈ છે.
