National

ફાર્મસી એક્ઝિટ ટેસ્ટ ઘોંચમાં! હવે પરીક્ષા વિના જ મળશે રજિસ્ટ્રેશન, હજારો વિદ્યાર્થીઓને મોટી રાહત

Pharmacy Exit Test | ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) દ્વારા ડિપ્લોમા ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે લાગુ કરવામાં આવેલી એક્ઝિટ ટેસ્ટ (Exit Test) ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. વર્ષ 2022 માં જાહેર કરાયેલા નિયમો મુજબ, ડિપ્લોમા ફાર્મસી પાસ કર્યા બાદ ફાર્મસિસ્ટ તરીકે રજિસ્ટ્રેશન કરાવવા માટે આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત હતી.

જોકે, પરીક્ષા ફી અને પેપરના માળખા મુદ્દે થયેલા વિરોધ બાદ હવે કાઉન્સિલે વિદ્યાર્થીઓને પરીક્ષા વિના જ રજિસ્ટ્રેશન (Registration) આપવાનો નિર્ણય લીધો છે.

શા માટે વિવાદ થયો? નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) દ્વારા ઓક્ટોબર 2024 માં પ્રથમવાર આ પરીક્ષા લેવાનું આયોજન હતું. પરંતુ 5,000 રૂપિયા જેટલી ઊંચી પરીક્ષા ફી (Exam Fee) અને ત્રણ અલગ-અલગ પેપરો રાખવાના નિર્ણય સામે દેશભરમાં ઉગ્ર વિરોધ થયો હતો. ગુજરાતના 536 સહિત દેશના 18,243 વિદ્યાર્થીઓએ આ માટે નોંધણી કરાવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ વિરોધને પગલે પરીક્ષા રદ (Cancelled) કરવાની ફરજ પડી હતી.

વિદ્યાર્થીઓને કેવી રીતે મળશે લાભ? કેન્દ્ર સરકાર દ્વારા પરીક્ષાના નિયમોમાં ફેરફાર અંગે કોઈ સ્પષ્ટ નિર્ણય ન લેવાતા, કાઉન્સિલે હવે વચગાળાનો રસ્તો કાઢ્યો છે. નવા પરિપત્ર મુજબ:

2022-23 ની બેચના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના રજિસ્ટ્રેશન મળશે.

2023-25 અને 2024-26 ની બેચના વિદ્યાર્થીઓ પણ જો પરીક્ષા જાહેર ન થાય ત્યાં સુધી પાસ થાય, તો તેમને પણ એક્ઝિટ ટેસ્ટ વિના લાયસન્સ (License) આપી દેવામાં આવશે.

આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓ હવે મેડિકલ સ્ટોર શરૂ કરી શકશે અથવા ફાર્મસિસ્ટ તરીકે નોકરી (Job) મેળવી શકશે.

Chief Editor

Recent Posts

“મને નરેન્દ્ર નામથી નફરત છે”, પાક બોક્સરનો કિસ્સો સાંભળી PM મોદી ખડખડાટ હસી પડ્યા

કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ (Commonwealth Games 2026) માં ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી…

19 hours ago

અમિત શાહ દિલ્હી પોલીસ કાર્યવાહી પર ચર્ચા કરશે: કિરેન રિજિજુ

Parliament Deadlock Discussion | દિલ્હી (Delhi)ના જંતર મંતર (Jantar Mantar) ખાતે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ…

19 hours ago

મોંઘવારીનો રાઉન્ડ ટુ : બિસ્કિટ, સાબુથી લઈને ચા સુધીની દૈનિક વપરાશની વસ્તુઓ મોંઘી થશે; FMCG કંપનીઓ ભાવ વધારવાની તૈયારીમાં

FMCG Price Hike | મોંઘવારીના મારથી પીડાતા સામાન્ય ભારતીય ગ્રાહકો માટે વધુ એક ખરાબ સમાચાર…

19 hours ago

હર ધર તિરંગા‘ ને ‘હર દિલ તિરંગા‘ નું જન આંદોલન

હર ધર તિરંગા‘ ને ‘હર દિલ તિરંગા‘ નું જન આંદોલન બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું…

21 hours ago