Artemis II Mission
અમેરિકી સ્પેસ એજન્સી NASA એ બુધવાર, 1 April, 2026 ના રોજ Artemis-II મિશનને સફળતાપૂર્વક લોન્ચ કરીને ઇતિહાસ રચી દીધો છે. વર્ષ 1972 ના એપોલો-17 (Apollo-17) મિશન પછી ચંદ્રની આસપાસ જનારું આ પ્રથમ માનવસહિત મિશન (Manned Mission) છે. 322 ફૂટ લાંબા Space Launch System (SLS) રોકેટે ફ્લોરિડાના કેપ કેનાવેરલથી ભારતીય સમય અનુસાર રાત્રે 10:35 કલાકે ઉડાન ભરી હતી.
આર્ટિફિશિયલ મિશનની વિગતો: આ મિશનમાં ચાર અંતરિક્ષ મુસાફરો Orion ક્રૂ કેપ્સ્યુલમાં સવાર થઈને ચંદ્રની પરિક્રમા કરવા માટે 10 દિવસની સફરે નીકળ્યા છે. જોકે, આ મિશન ચંદ્રની સપાટી પર ઉતરવાનું નથી, પરંતુ ચંદ્રની આસપાસ ફરીને પૃથ્વી પર સુરક્ષિત પરત ફરવાનું છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઊંડા અવકાશમાં (Deep Space) ઓરિઅન સ્પેસક્રાફ્ટની સિસ્ટમ્સનું પરીક્ષણ કરવાનો છે.
મિશનમાં વિલંબનું કારણ: શરૂઆતમાં આ મિશન 2024 માં લોન્ચ થવાનું હતું, પરંતુ ઓરિઅન કેપ્સ્યુલની હીટ શીલ્ડ (Heat Shield), હાઇડ્રોજન લીક અને અન્ય ટેકનિકલ સમસ્યાઓને કારણે તેને 2026 સુધી લંબાવવામાં આવ્યું હતું.
ચંદ્ર યાત્રાના ચાર હીરો:
10 દિવસનો સંપૂર્ણ પ્લાન: યાત્રાના 5 મા દિવસે ઓરિઅન કેપ્સ્યુલ ચંદ્રના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં પ્રવેશ કરશે. 6 ઠ્ઠો દિવસ મિશનનો સૌથી મહત્વનો દિવસ હશે, જ્યારે કેપ્સ્યુલ ચંદ્રની સપાટીથી માત્ર 6,450 થી 9,650 કિલોમીટરની દૂરી પરથી પસાર થશે. આ દરમિયાન એસ્ટ્રોનોટ્સ ચંદ્રના અણદેખ્યા હિસ્સાનો ડેટા એકત્રિત કરશે.
વાપસી અને ભવિષ્યના મિશન: મિશનના 10 મા દિવસે એટલે કે 10 April, 2026 ના રોજ ઓરિઅન કેપ્સ્યુલ પૃથ્વીના વાતાવરણમાં 25,000 માઇલ પ્રતિ કલાકની ઝડપે પ્રવેશ કરશે અને પેસિફિક મહાસાગરમાં (Pacific Ocean) સ્પ્લેશડાઉન (Splashdown) કરશે. આ મિશનની સફળતા પછી, નાસા વર્ષ 2027 માં Artemis-III લોન્ચ કરશે, જેનો લક્ષ્ય ચંદ્ર પર માનવીને ઉતારવાનો છે. ત્યારબાદ 2028 માં ચંદ્ર પર કાયમી બેઝ સ્થાપવા માટે વાર્ષિક લેન્ડિંગ કરવાની યોજના છે.
Gucci... આ નામ સાંભળતા જ મગજમાં મોંઘી બેગ્સ (Bags), લક્ઝરી લાઈફસ્ટાઈલ (Luxury Lifestyle) અને અમીરીની…
મિડલ ઈસ્ટમાં (Middle East) વધી રહેલા તણાવ વચ્ચે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ…
પશ્ચિમ બંગાળમાં (West Bengal) આગામી 23 અને 29 એપ્રિલે યોજાનારી વિધાનસભા ચૂંટણી (Assembly Election 2026)…
અમેરિકા (USA), ઈઝરાયલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક નિર્ણાયક વળાંક…
ઋષિ મંડલ મહાપૂજન - શનિવારે, એપ્રિલ ૦૪ બપોરે ૧૨:૩૯ કલાકે શ્રી ઋષિ-મંડલ સ્તોત્ર એ જૈન શાસનનું…
શ્રી યમુના મહારાણીજીના પ્રાગટ્ય ઉત્સવ ની ઉજવણી તા.૨૪ માર્ચ, યમુના છઠઠના દિવસે, કરાઇ હતી. weekdays…