શ્રી યમુના મહારાણીજીના પ્રાગટ્ય ઉત્સવ ની ઉજવણી તા.૨૪ માર્ચ, યમુના છઠઠના દિવસે, કરાઇ હતી. weekdays , કામનો ચાલુ દિવસ હોવા છતાં, McKinney,Texasમાં, શ્રી ગોવર્ધન નાથજી મંદિરમાં, બિરાજતા શ્રી યમુના મહારાણીમાંનો પ્રાગટ્ય મહોત્સવ ખુબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવો ભેગા થઈ આનંદ ઉત્સવ મનાવ્યો હતો.
યમુનાજીનાઅખંડ પાઠ, પદ, કિરતન, ભજન, ગરબા ની રમઝટ સાથે પ્રસાદી ભોજન નો લ્હાવો લીધો, અત્રે યુગલ સ્વરુપે બિરાજમાન સેવ્ય શ્રી ગોવર્ધન પ્રભુ ના સુંદર શણગાર, સાજ સાથે અલૌકિક દર્શન કરતાં વૈષ્ણવો ભાવવિભોર થઈ આનંદથી ઝૂમી ઊઠ્યા હતા.
હવે પછી અહીં જ તા. ૧૩ એપ્રિલ, શ્રી મદ્ વલ્લભાચાર્યજી પ્રાગટ્ય દિને અત્રે થનારા ત્રિ દિવસીય, ત્રિ સ્વરુપ મહોત્સવ, ૧૦૮ ગો.શ્રી કુંજેશકુમારજી મહોદય શ્રી ના સાન્નિધ્ય માં ઉજવાશે, ૧૩મીએ મહોત્સવ સાથે મંદિર પાટોતસવ, પંચામૃત સ્નાન, નંદ મહોત્સવ , વલ્લભ ગુણગાન પર વચનામૃત, તા.૧૬ એપ્રિલ, શ્રી યમુનાજી મહોત્સવ,યમુના નિકુંજે પુ્લિન કંદરા મનોરથ, શ્રી યમુના ગુણગાન પર વચનામૃત અને ૧૭ એપ્રિલ ગિરિકંદરા મનોરથ, અત્રે થયેલ ગિરિ ગોવર્ધન માં જતિપુરાથી પધારશે શ્રી ગિરિરાજ જી, જેની સ્થાપના અને આવિર્ભાવ શ્રી કુંજેશકુમારજી ના હસ્તે થશે પછી ભવિષ્યમાં વૈષ્ણવો શ્રી ગિરિરાજીનુ પૂજન અને પરિક્રમા કોઇપણ જાતની ન્યોછાવર વિના કરી શકશે , North Texas માં આ સૌપ્રથમ જ વાર થનાર ત્રિદિવસીય મનોરથોનો લાભ લેવા સૌ વલ્લભીય સૃષ્ટિ ને વૈષ્ણવ મિલન ઓફ ટેક્ષાસ અને શ્રી ગોવર્ધન નાથજી મંદિર તરફથી ભાવભીનુ આમંત્રણ છે, ત્રણેય દિવસ માટે રજિસ્ટ્રેશન કરાવવું જરુરી છે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ અમદાવાદના વિકાસ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની સમીક્ષા કરી અમદાવાદ…
શ્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ…
Chandrima Bhattacharya resigns TMC | પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ પહેલેથી જ…
Prince Khan threat | ઝારખંડ (Jharkhand) ના ધનબાદથી દુબઈ ભાગી ગયેલા 'ગેંગ્સ ઓફ વાસેપુર' (Gangs…
Father emotional struggle | માતા-પિતા અવારનવાર પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એવા બલિદાનો આપતા હોય…
Petrol dieselમિડિલ ઈસ્ટ (Middle East) માં તણાવ અને ક્રૂડ ઓઇલ (Crude Oil) ની કિંમતો ઊંચી…