Gujarat

ખેડા: પાટીદાર દીકરીના પ્રેમલગ્ન મામલે સમાજ મેદાને, કિંજલ રબારીના કિસ્સા બાદ દીકરીને પરત લાવવા ઉઠી માંગ

kinjal rabari controversy | ગુજરાતમાં હાલમાં પ્રેમલગ્ન (Love Marriage) અને સામાજિક મર્યાદાઓને લઈને એક નવો વિવાદ છેડાયો છે. જાણીતી ગાયિકા કિંજલ રબારી (Kinjal Rabari) ના કિસ્સામાં તે પોતાના ઘરે પરત ફર્યા બાદ, હવે અન્ય સમાજોમાં પણ પોતાની દીકરીઓને પરત લાવવા માટેની હિલચાલ તેજ બની છે.

ખેડા જિલ્લા (Kheda District) ના કઠલાલ (Kathlal) તાલુકાના લસુંદ્રા (Lasundra) ગામે પાટીદાર સમાજની એક દીકરી રબારી સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કરી જતી રહેતા મોટો વિવાદ (Controversy) સર્જાયો છે.

આ મામલે દીકરીની માતા રેણુકાબેન પટેલનો એક ભાવુક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થયો છે. જેમાં તેમણે રબારી સમાજના આગેવાન ઠાકરશી રબારીને સંબોધીને નમ્ર અપીલ કરી છે કે, જેમ કિંજલ રબારી પોતાના ઘરે પરત આવી છે, તેમ મારી દીકરી પણ મને પરત જોઈએ છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, બંને સમાજ વચ્ચે દીકરીઓના આદાન-પ્રદાનનો કોઈ વ્યવહાર નથી, તેથી સામાજિક ગરિમા જાળવીને તેમની દીકરીને પરત સોંપવામાં આવે.

આ ગંભીર મુદ્દા પર રણનીતિ ઘડવા માટે લસુંદ્રા ગામમાં પાટીદાર સમાજ (Patidar Community) ના દિગ્ગજ નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. આ બેઠકમાં ગૌરાંગ પટેલ (Gaurang Patel), દિનેશ બાંભણિયા (Dinesh Bambhaniya) અને વરુણ પટેલ (Varun Patel) જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ખેડા જિલ્લા સરદાર પટેલ સંગઠનના અધ્યક્ષ વીરુ પટેલે જણાવ્યું હતું કે, અમે પરિવારની મુલાકાત લીધી છે અને રબારી સમાજના આગેવાનો સાથે સતત સંપર્કમાં છીએ જેથી આ પ્રશ્નનો શાંતિપૂર્ણ ઉકેલ (Solution) લાવી શકાય.

બીજી તરફ, પાટીદાર આગેવાન સાગરભાઈએ આશા વ્યક્ત કરી છે કે ઠાકરશી રબારી અને મધ્ય ગુજરાતના અન્ય રબારી આગેવાનો સાથે વાતચીત હકારાત્મક રહી છે.

રબારી સમાજના અગ્રણીઓએ પણ સાંત્વના આપી છે કે તેઓ યોગ્ય સહકાર આપીને દીકરીને પરત લાવવા માટે પ્રયત્નો કરશે. સમગ્ર ગુજરાતમાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે અને હવે સૌની નજર સમાજની આગામી રણનીતિ (Strategy) પર ટકેલી છે.

Chief Editor

Recent Posts

ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોનો સમગ્ર ભારતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

૩ ઓગસ્ટ-‘ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે’ **** ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોનો સમગ્ર ભારતમાં…

11 hours ago

ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે કળશ યાત્રાને આવકારી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે યોજાયેલી ભવ્ય કળશ યાત્રાને આવકારી…

11 hours ago

સોહેલના ડિવોર્સ પર બોલ્યા સલમાન ખાન, ભાઈનો કર્યો બચાવ

Salman Khan | રિયાલિટી શો (Reality Show) 'ધ અલાયન્સ' (The Alliance) ના ફિનાલે વીકમાં (Finale…

20 hours ago

પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશન બહાર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ: ૧૪ ના મોત

 બોમ્બ વિસ્ફોટમાં પાંચ પોલીસ કર્મચારીઓ અને ચાર નાગરિકો સહિત ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા…

1 day ago