Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

કેરલમમાં જીત બાદ કોંગ્રેસમાં ‘મહાભારત’! કાર્યકરોની વી. ડી. સતીશનને જ મુખ્યમંત્રી

Chief Editor May 9, 2026
Keralam CM Race

કેરલમ (Keralam) વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ હવે કોંગ્રેસમાં મુખ્યમંત્રીની પસંદગી મામલે ભારે ઘમસાણ મચ્યું છે. શુક્રવારે રાજ્યભરમાં હજારો કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિપક્ષના નેતા વી. ડી. સતીશનને (V. D. Satheesan) જ મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ ‘Only VD’ ના નારા લગાવી હાઈકમાન્ડને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે નેતાએ રણમેદાનમાં નેતૃત્વ કર્યું, તેને જ સત્તા સોંપવી જોઈએ.

રાજ્યમાં અત્યારે મુખ્યમંત્રી પદ માટે બે મોટા જૂથો આમને-સામને છે. એક તરફ વી. ડી. સતીશન છે, જેમણે 5 વર્ષ જમીની સ્તર પર લડત આપી છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલનું (K. C. Venugopal) નામ ચર્ચામાં છે. અહેવાલો મુજબ, કોંગ્રેસના 63 ધારાસભ્યોમાંથી બહુમતી વેણુગોપાલના પક્ષમાં હોવાનું મનાય છે, પરંતુ કાર્યકરો તેમને ‘પેરાશૂટ નેતા’ ગણાવી સ્વીકારવા તૈયાર નથી. આ સ્થિતિ વર્ષ 2006 ના CPI(M) ના ઇતિહાસની યાદ અપાવે છે.

ઉલ્લેખનીય છે કે, સતીશને ચૂંટણી પહેલા જાહેરાત કરી હતી કે જો UDF 100 સીટો નહીં જીતે તો તેઓ નિવૃત્ત થશે, પરંતુ ગઠબંધને 140 માંથી 102 સીટો જીતીને ઐતિહાસિક સફળતા મેળવી છે. સતીશનના સમર્થનમાં રેલી કાઢનાર ઇડુક્કીના 3 નેતાઓને સસ્પેન્ડ કરાતા વિવાદ વધુ વકર્યો છે. હવે કોંગ્રેસ હાઈકમાન્ડ (High Command) ધારાસભ્યોના આંકડાને મહત્વ આપે છે કે કાર્યકરોની લાગણીને, તેના પર સૌની નજર છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Kerala (કેરળ)

Post navigation

Previous: પ. બંગાળમાં ભાજપ યુગની શરૂઆત: શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે લીધા શપથ
Next: ટ્રમ્પની ઈરાનને ચેતવણી: પરમાણુ મંત્રણા નિષ્ફળ જશે તો લેવાશે આકરા પગલાં
Follow

Recent Posts

  • Vastu Tips: ઘરમાં આ 4 વાસ્તુ સુધારા કરવાથી ચમકી જશે કિસ્મત, વધશે ધનની આવક
  • ભારતમાં અલ નીનો અને ઇથેનોલના કારણે ખાંડનું સંકટ! નિકાસ બંધ થવાની ભીતિ
  • ટીમ ઇન્ડિયાની જર્સી પર પોતાનું નામ જોઈ ભાવુક થયો 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી
  • નોકરી બદલ્યા પછી પીએફ ખાતું આપમેળે મર્જ નથી થતું, આ રીતે કરો ઓનલાઈન ટ્રાન્સફર
  • સુરત: પાટીદાર આંદોલન સમયના વધુ બે કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલ સહિતના અગ્રણીઓ નિર્દોષ જાહેર
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.