જામનગર જિલ્લા સેવા સદન
Jamnagar Ashant Dhara News: જામનગર (Jamnagar) શહેરના સીટી સર્વે-1 (City Survey-1) અને સીટી સર્વે-2 (City Survey-2) માં સમાવિષ્ટ કુલ 29 જેટલા વિસ્તારોમાં આગામી 5 વર્ષ માટે અશાંતધારો (Disturbed Areas Act) લાગુ કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં હવે 22 માર્ચ 2031 સુધી મિલકતની ખરીદ-વેચાણ માટે ખાસ નિયમોનું પાલન કરવું પડશે.
જે વિસ્તારોમાં આ કાયદો લાગુ થયો છે તેમાં રાજગોર ફળી, નાગર ચકલો, પંચવટી, અણદાબાવાનો ચકલો, સોની ફળી અને ખવાસ વાડો સહિતના મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. નવા નિયમો મુજબ, આ વિસ્તારમાં મિલકતની તબદીલી (Property Transfer) સમયે ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમ, 1991 ની જોગવાઇઓનું પાલન કરવું અનિવાર્ય છે.
હવેથી આ વિસ્તારોમાં કોઈપણ મિલકત ટ્રાન્સફર કરવા માટે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ (Sub-Divisional Magistrate) અને પ્રાંત અધિકારી (Prant Officer) જામનગર શહેરની પૂર્વ પરવાનગી (Prior Permission) મેળવવાની રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ મિલકતની તબદીલી પર નિયંત્રણ લાવવાનો અને ભાડૂતોને રક્ષણ પૂરું પાડવાનો છે.
* વિકસિત ભારતના નિર્માણમાં અંતરિક્ષ વિજ્ઞાન અને ટેક્નોલોજીની ભૂમિકા પર નિષ્ણાતોનું મંથન ** અંતરિક્ષ ક્ષેત્રમાં…
ગુજરાતના મહેસાણા જિલ્લાના વતની સુરેશ પટેલની જેક્સનમાં આવેલી 'રિજક્રેસ્ટ સેલર્સ વાઇન એન્ડ સ્પિરિટ્સ' ખાતે હત્યા…
૮૦ અને ૯૦ વર્ષની વયના વરિષ્ઠ નાગરિકોનો 'રેમ્પ વોક' (ramp walk) ભારતીયનિવાસ ખાતે સ્વતંત્રતા દિવસની…
HIGH SCHOOL AND COLEGE PLANIG WORK SHOPE DFW GS યુવા ઇમ્પેક્ટ દ્વારા 8 ઓગસ્ટ, 2026…
કેલિફોર્નિયાના સાન્ટા ક્રુઝ (Santa Cruz) ખાતે વેસ્ટ ક્લિફ ડ્રાઇવ (West Cliff Drive) પર એક કરુણ…
ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોએ 80 મા સ્વાતંત્ર્ય દિનની 15 મી ઓગસ્ટ અને રક્ષા બંધનની ની…