જામનગર જિલ્લા સેવા સદન
Jamnagar Ashant Dhara News: જામનગર (Jamnagar) શહેરના સીટી સર્વે-1 (City Survey-1) અને સીટી સર્વે-2 (City Survey-2) માં સમાવિષ્ટ કુલ 29 જેટલા વિસ્તારોમાં આગામી 5 વર્ષ માટે અશાંતધારો (Disturbed Areas Act) લાગુ કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં હવે 22 માર્ચ 2031 સુધી મિલકતની ખરીદ-વેચાણ માટે ખાસ નિયમોનું પાલન કરવું પડશે.
જે વિસ્તારોમાં આ કાયદો લાગુ થયો છે તેમાં રાજગોર ફળી, નાગર ચકલો, પંચવટી, અણદાબાવાનો ચકલો, સોની ફળી અને ખવાસ વાડો સહિતના મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. નવા નિયમો મુજબ, આ વિસ્તારમાં મિલકતની તબદીલી (Property Transfer) સમયે ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમ, 1991 ની જોગવાઇઓનું પાલન કરવું અનિવાર્ય છે.
હવેથી આ વિસ્તારોમાં કોઈપણ મિલકત ટ્રાન્સફર કરવા માટે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ (Sub-Divisional Magistrate) અને પ્રાંત અધિકારી (Prant Officer) જામનગર શહેરની પૂર્વ પરવાનગી (Prior Permission) મેળવવાની રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ મિલકતની તબદીલી પર નિયંત્રણ લાવવાનો અને ભાડૂતોને રક્ષણ પૂરું પાડવાનો છે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ અમદાવાદના વિકાસ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની સમીક્ષા કરી અમદાવાદ…
શ્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ…
Chandrima Bhattacharya resigns TMC | પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ પહેલેથી જ…
Prince Khan threat | ઝારખંડ (Jharkhand) ના ધનબાદથી દુબઈ ભાગી ગયેલા 'ગેંગ્સ ઓફ વાસેપુર' (Gangs…
Father emotional struggle | માતા-પિતા અવારનવાર પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એવા બલિદાનો આપતા હોય…
Petrol dieselમિડિલ ઈસ્ટ (Middle East) માં તણાવ અને ક્રૂડ ઓઇલ (Crude Oil) ની કિંમતો ઊંચી…