Sports

10 મેચમાં 60 વિકેટ લેનાર બોલરને ટીમ ઇન્ડિયામાં ન મળી તક, સેલેક્ટર્સ પર ભડક્યો ઇરફાન પઠાણ

Irfan Pathan Criticism | અફઘાનિસ્તાન સામેની આગામી વનડે અને ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થતાં જ એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે. સ્થાનિક ક્રિકેટમાં (Domestic cricket) શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓની અવગણના થતાં પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે સોશિયલ મીડિયા પર (Social media) સેલેક્ટર્સ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

રણજી ટ્રોફી (Ranji Trophy 2025-26) સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપીને જમ્મુ-કાશ્મીરને પ્રથમવાર ચેમ્પિયન બનાવનાર સ્ટાર ફાસ્ટ બોલર આકિબ નબીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. બીજી તરફ, જાન્યુઆરી મહિના પછી એક પણ મેચ ન રમનાર પંજાબના ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારને વનડે અને ટેસ્ટ બંને ટીમમાં સામેલ કરી લેવાયો છે.

આકિબ નબીએ રણજી ટ્રોફીની આ સીઝનમાં ઘાતક બોલિંગ કરતા 10 મેચમાં 2.65 ની શાનદાર ઇકોનોમીથી (Economy) કુલ 60 વિકેટ ઝડપી હતી. તેણે કર્ણાટક સામેની ફાઇનલ મેચમાં 5 વિકેટ ઝડપીને જમ્મુ-કાશ્મીરને તેનું પ્રથમ રણજી ટાઇટલ જીતાડ્યું હતું અને તે ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ (Player of the tournament) પણ બન્યો હતો.

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ને આ સિરીઝમાં આરામ અપાયા બાદ આકિબ નબીને તક મળશે તેવી પૂરી સંભાવના હતી, પરંતુ સેલેક્ટર્સે તેને ઇગ્નોર (Ignore) કર્યો હતો.

સેલેક્ટર્સના આ નિર્ણયથી નારાજ ઇરફાન પઠાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર (X) પોસ્ટ કરીને પોતાની ભડાશ નીકાળી હતી. તેણે પસંદગીકારોને સલાહ આપતા લખ્યું કે, ‘રણજી ટ્રોફીના શાનદાર પ્રદર્શનને આ રીતે નિરુત્સાહિત ન કરો.’ આ નિર્ણય બાદથી જ ક્રિકેટ ફેન્સ અને નિષ્ણાતો વચ્ચે સ્થાનિક ક્રિકેટના મહત્વને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

Chief Editor

Recent Posts

રેલ્વેની ચોમાસાની તૈયારી અને સલામતી પર ખાસ ધ્યાન

અમદાવાદ મંડળ: ડીઆરએમ વેદ પ્રકાશે ચોમાસાની તૈયારીઓ અને વિવિધ નિર્માણ કાર્યોનું સઘન નિરીક્ષણ કર્યું પશ્ચિમ…

4 hours ago

પાલીતાણાના ગરાજીયા ગામમાં પશુપાલક પર સિંહણનો જીવલેણ હુમલો: વન વિભાગ સામે ગ્રામજનોમાં ભારે રોષ

Palitana Lion Attack | ભાવનગર (Bhavnagar) જિલ્લાના પાલીતાણા (Palitana) તાલુકામાં આવેલા ગરાજીયા ગામે વન્ય પ્રાણીઓનો આતંક…

4 hours ago

રાજ્યપાલ સાથે GAS કેડરમાંથી IASમાં પ્રમોટ થયેલા અધિકારીઓની શુભેચ્છા મુલાકાત

લોકોની સેવા એ જ આત્મસંતોષ અને સુખ મેળવવાનું સર્વોત્તમ માધ્યમ છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી…

5 hours ago

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા

પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ભારતીય જન સંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર…

5 hours ago

ગુજરાતમાં મેઘતાંડવ: 6 જિલ્લામાં રેડ એલર્ટ અને અમદાવાદમાં 4 ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત

Gujarat Rain Update |  ગુજરાતમાં ચોમાસું પુરેપુરી રીતે સક્રિય થઈ ગયું છે, જેના કારણે રાજ્યમાં…

5 hours ago

બ્રાઝિલનું સપનું તૂટ્યું…નેમારની નિવૃત્તિ

બ્રાઝિલનું સપનું તૂટ્યું અને નેમારનો કરિયર પર પડદો બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમારે ઇન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા…

9 hours ago