તેહરાન (Tehran): ઈરાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના એ દાવાને સખત શબ્દોમાં નકારી કાઢ્યો છે, જેમાં તેમણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) માં ભારત સાથે જોડાયેલા જહાજો પર ઈરાને ડ્રોન હુમલા (Drone Attacks) કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.
ઈરાને આ આક્ષેપોને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા છે અને વોશિંગ્ટન પર આરોપ લગાવ્યો છે કે તે તાજેતરમાં કોમર્શિયલ જહાજો પર અમેરિકી સૈન્ય હુમલામાં 3 ભારતીય નાવિકો (Mariners) ના થયેલા મોતના મામલા પરથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “અમેરિકી રાષ્ટ્રપતિનો આરોપ વાસ્તવિકતાથી વેગળો છે. આ એક એવો ઘૃણાસ્પદ પ્રયાસ છે જેનાથી એ ક્રૂર સત્યને છુપાવી શકાય કે અમેરિકાએ એક અઠવાડિયા કરતા ઓછા સમયમાં 3 ભારતીય જહાજો (Vessels) પર હુમલો કરીને 3 નિર્દોષ ભારતીય નાવિકોના જીવ લીધા છે.”
બીજી તરફ, યુએસ સેન્ટ્રલ કમાન્ડે (US Central Command – CentCom) દાવો કર્યો છે કે યુએસ નેવી (US Navy) એ ઈરાન દ્વારા છોડવામાં આવેલા અનેક વન-વે એટેક ડ્રોનને તોડી પાડ્યા હતા.
આ રાજદ્વારી વિવાદ એવા સમયે વકર્યો છે જ્યારે ભારતે અમેરિકાના શાર્જ ડી અફેર્સ (Charge d’Affaires) જેસન મીક્સને સમન્સ પાઠવીને ઓમાનના દરિયાકાંઠે ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજો પર અમેરિકી સૈન્યના ઘાતક હુમલાઓને “અસ્વીકાર્ય” ગણાવ્યા હતા.
અમેરિકાએ દાવો કર્યો હતો કે પાલાઉ ફ્લેગ ધરાવતા ઓઇલ ટેન્કર (Oil Tanker) સેટેબેલો અને મેરીવેક્સ તેમજ જલવીર નામના જહાજો ઈરાન પરના અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા.
ભારતના વિદેશ મંત્રી (External Affairs Minister) એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરીને 3 ભારતીય નાવિકોના મોત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે કોમર્શિયલ જહાજો પર આવા ઘાતક હુમલા કોઈ પણ સંજોગોમાં વાજબી ઠેરવી શકાય નહીં.
તેહરાન (Tehran): ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન કતારે ઈરાન સાથે એક…
Kitchen Vastu Tips | રસોડું (Kitchen) આપણા ઘરનો સૌથી મહત્વનો ભાગ છે. ઘણીવાર જગ્યા ઓછી હોવાને…
S Jaishankar Protests Rubio | ગલ્ફ (Gulf) વિસ્તારમાં અમેરિકી નૌસેના (US Navy) દ્વારા કોમર્શિયલ જહાજો…
India BMD Test | ભારતે તેની મલ્ટિ-લેયર્ડ બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ (Ballistic Missile Defence - BMD)…
વડોદરા (Vadodara) ના મકરપુરા વિસ્તારમાંથી મિત્રતાનો એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. બિહારમાં રહેતા એક…
IAF AN-32 Crash | આસામ (Assam)ના જોરહાટ એરફોર્સ સ્ટેશન (Air Force Station) પર શનિવારે એક…