IAF AN-32 Crash | આસામ (Assam)ના જોરહાટ એરફોર્સ સ્ટેશન (Air Force Station) પર શનિવારે એક મોટી દુર્ઘટના (Accident) સર્જાઈ છે. ભારતીય વાયુસેના (Indian Air Force) નું એક AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન (Transport Aircraft) લેન્ડિંગ (Landing) દરમિયાન અકસ્માતનો ભોગ બન્યું છે. પ્રાથમિક અહેવાલો મુજબ, વિમાન જ્યારે એરફોર્સ સ્ટેશનમાં લેન્ડ થઈ રહ્યું હતું ત્યારે તેમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી.
લેન્ડિંગ દરમિયાન જ મોટી દુર્ઘટના
મળતી માહિતી મુજબ, આ AN-32 વિમાન જોરહાટ એરફિલ્ડ (Airfield) પર ઉતરાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન જ વિમાનમાં ખામી સર્જાતાં રોવરિયા એરબેઝ (Airbase) પર તાત્કાલિક ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (Emergency Response Team) સક્રિય કરવામાં આવી હતી. હાલમાં અકસ્માત સ્થળે ફાયરફાઈટિંગ (Firefighting) અને રેસ્ક્યૂ (Rescue) ની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સીનિયર અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
વાયુસેનાનું સત્તાવાર નિવેદન અને તપાસ
ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ દુર્ઘટના અંગે ટૂંકું નિવેદન આપતા જણાવ્યું છે કે, “આજે જોરહાટમાં વાયુસેનાનું એક AN-32 વિમાન અકસ્માતનો ભોગ બન્યું છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરી (Court of Inquiry) નો આદેશ આપવામાં આવ્યો છે.” ડિફેન્સ પ્રો (Defence PRO) લેફ્ટનન્ટ કર્નલ એમ. રાવતે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. હાલમાં જાનહાનિ કે નુકસાનના પ્રમાણ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી અને તેની સમીક્ષા કરવામાં આવી રહી છે.
શું છે AN-32 વિમાન?
એન્ટોનોવ (Antonov) AN-32 એ ટ્વિન-એન્જિન ટર્બોપ્રોપ મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાન છે, જે લાંબા સમયથી ભારતીય વાયુસેનાના ટ્રાન્સપોર્ટ ફ્લીટ (Transport Fleet) નો મુખ્ય હિસ્સો રહ્યું છે. સોવિયત યુનિયન (Soviet Union) માં વિકસિત કરાયેલું આ વિમાન હાઈ-એલ્ટિટ્યુડ અને મુશ્કેલ હવામાનમાં ઓપરેટ કરવા માટે જાણીતું છે. તે 7.5 ટન કાર્ગો, 50 મુસાફરો અથવા 42 પેરાટ્રૂપર્સ (Paratroopers) ને લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
