Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: બોરસદમાં સૌથી વધુ 4.5 Inch વરસાદ, અમદાવાદમાં મીઠાખળી અંડરપાસ બંધ, ઠેર-ઠેર જળબંબાકાર

Chief Editor September 14, 2026
rain gujarat

rain gujarat

Gujarat Rain | ગુજરાતમાં 14 સપ્ટેમ્બર 2026ના રોજ વહેલી સવારથી વરસાદે જમાવટ બોલાવી છે. સવારે 6:00થી 10:00 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 172 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે.

આ વરસાદી સીઝનમાં આણંદ (Anand) જિલ્લાના બોરસદ (Borsad) તાલુકામાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

Join Our WhatsApp Group

રાજ્યભરમાં હવામાન વિભાગદ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે.

બોરસદ ઉપરાંત ગોધરામાં 3.4 ઇંચ, તારાપુરમાં 3.0 ઇંચ, ધોળકામાં 2.8 ઇંચ, કરજણમાં 2.4 ઈંચ અને મેઘરજમાં 2.2 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.

સવારે 8:00થી 10:00 વાગ્યાના માત્ર 2 કલાક ના સમયગાળામાં જ 133 તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાના અહેવાલો મળ્યા છે.

અમદાવાદ શહેરમાં પણ 12 સપ્ટેમ્બરથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં હંસપુરામાં 2.93 ઈંચ, મોટેરામાં 2.76 ઇંચ, દૂધેશ્વરમાં 2.72 ઈંચ અને નરોડામાં 2.54 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાણીપ, ચાંદખેડા, નવરંગપુરા અને જોધપુર જેવા વિસ્તારોમાં પણ 2.30 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

શહેરમાં સતત થઈ રહેલા વરસાદને કારણે અનેક સ્થળોએ ભારે પાણીનો ભરાવોની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સલામતી માટે AMC દ્વારા મીઠાખળી અંડરપાસને તકેદારીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે.

અંડરપાસ બંધ થતા નોકરી-ધંધે કે સ્કૂલે જતાં લોકો માટે ભારે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે. સવારના 6:00 થી 8:00 વાગ્યા વચ્ચે ઓઢવ (Odhav) ડ્રેનેજ પમ્પિંગ વિસ્તારમાં 0.28 Inch જ્યારે વસ્ત્રાલ (Vastral), નિકોલ (Nikol) અને રામોલ (Ramol)માં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે.

શહેરના સરકારી રિપોર્ટ મુજબ અમદાવાદમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ સરેરાશ 27.46 Inch વરસાદ થઈ ચૂક્યો છે, જે છેલ્લા 5 વર્ષ ના એવરેજ વરસાદના 76.28 ટકા જેટલો છે.

વરસાદના કારણે સાબરમતી નદી પર આવેલ વાસણા બેરેજ (Vasna Barrage)ની પાણીની સપાટી 129.00 Foot સુધી પહોંચી છે.

પાણીનો પ્રવાહ જાળવી રાખવા માટે બેરેજનો 1 ગેટ આશરે 0.5 ફૂટ જેટલો ખુલ્લો રાખવામાં આવ્યો છે અને નદીમાંથી 358 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

નગરપાલિકા અને AMCના કંટ્રોલ રૂમ દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. પાણી નિકાલ માટે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન કાર્યરત કરી દેવામાં આવ્યા છે.

ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ખાડા અને ભૂવા પડી જવાથી કેટલાક સ્થળે વાહનો ફસાયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.

તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને વોટરલોગિંગ વાળા રસ્તાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Ahmedabad (અમદાવાદ) Godhra (ગોધરા) Rain (વરસાદ) Sabarmati River (સાબરમતી નદી) Tarapur (તારાપુર) Vasna Barrage (વાસણા બેરેજ) Waterlogging (પાણીનો ભરાવો)

Post navigation

Previous: અમદાવાદમાં પ્રથમવાર ‘ખાડિયાના ગણરાજ’
Follow

Recent Posts

  • ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: બોરસદમાં સૌથી વધુ 4.5 Inch વરસાદ, અમદાવાદમાં મીઠાખળી અંડરપાસ બંધ, ઠેર-ઠેર જળબંબાકાર
  • અમદાવાદમાં પ્રથમવાર ‘ખાડિયાના ગણરાજ’
  • સોમનાથના આંગણેથી “સોમનાથ થી વડનગર સેવાયાત્રા
  • ભારતીય મૂળના દંપતીનું નવી યુએસ કોલેજ માટે $20 મિલિયનનું દાન.
  • નેપાળ પૂર રાહત માટે $25,000 નું યોગદાન આપવા ઈન્ડિયા બજાર/ INDIACO સમુદાય એકસાથે આવ્યો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.