Gujarat

અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા

  • AI ની મદદથી નકલી નોટો છાપતું સુરતનું નેટવર્ક ઝડપાયું, ‘ઇકોનોમિક ટેરર’ ની તપાસ

Fake Currency Racket | અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) સુરતના કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા (Pradeep Jotangia) અને તેના સાગરીતો દ્વારા ચલાવવામાં આવતા કરોડો રૂપિયાના નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. તપાસમાં પાકિસ્તાન (Pakistan) પ્રેરિત આર્થિક આતંકવાદ એટલે કે ‘ઇકોનોમિક ટેરર’ (Economic Terror) ની આશંકા સેવાઈ રહી છે.

યોગ ફાઉન્ડેશનની આડમાં ખેલ: આરોપી પ્રદીપ જોટાંગિયા ‘શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન’ (Yog Foundation) ના નામે આ નેટવર્ક ચલાવતો હતો. છેલ્લા ત્રણ મહિનામાં અંદાજે ₹3 કરોડની નકલી નોટો બજારમાં ફરતી કરી હોવાનું બહાર આવ્યું છે.

AI અને આધુનિક ટેકનોલોજી: આરોપીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) ની મદદથી અસલી નોટો સ્કેન કરી, તેના સીરીયલ નંબર બદલીને આબેહૂબ નકલી નોટો છાપતા હતા. પોલીસે ₹500 ના દરની 15,600 નકલી નોટો જપ્ત કરી છે.

ચીનથી આવતો કાગળ: નકલી નોટ (Fake Currency) છાપવા માટે વપરાતો ખાસ પ્રકારનો કાગળ ચીન (China) થી મંગાવવામાં આવતો હોવાની વિગતો મળી છે. આ કાગળમાં RBI નો લોગો અને ભારતનું નામ પહેલેથી જ હોવાની શક્યતા છે.

કેન્દ્રીય એજન્સીઓની એન્ટ્રી: આ કૌભાંડમાં આંતરરાષ્ટ્રીય લિંક્સ જણાતા NIA અને R&AW જેવી એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. તપાસમાં આરોપીઓના બેંક ખાતા, IT રિટર્ન અને ફોન કોલ ડિટેલ્સ (CDR) ની ઉંડી તપાસ કરવામાં આવશે.

Chief Editor

Recent Posts

ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોનો સમગ્ર ભારતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

૩ ઓગસ્ટ-‘ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે’ **** ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોનો સમગ્ર ભારતમાં…

11 hours ago

ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે કળશ યાત્રાને આવકારી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે યોજાયેલી ભવ્ય કળશ યાત્રાને આવકારી…

11 hours ago

સોહેલના ડિવોર્સ પર બોલ્યા સલમાન ખાન, ભાઈનો કર્યો બચાવ

Salman Khan | રિયાલિટી શો (Reality Show) 'ધ અલાયન્સ' (The Alliance) ના ફિનાલે વીકમાં (Finale…

20 hours ago

પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશન બહાર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ: ૧૪ ના મોત

 બોમ્બ વિસ્ફોટમાં પાંચ પોલીસ કર્મચારીઓ અને ચાર નાગરિકો સહિત ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા…

1 day ago