NRI

અમેરિકામાં ભારતીય મૂળના કાર્ડિયાક સર્જન સામે $17 મિલિયનનો દાવો: 13 વર્ષની બાળકીના હૃદયમાં વાલ્વ ઊંધો બેસાડ્યાનો આક્ષેપ

Ashok Muralidaran Case | અમેરિકાના ઓરેગન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટી (OHSU) ના એક જાણીતા પીડિયાટ્રિક કાર્ડિયાક સર્જન (Pediatric Cardiac Surgeon) સામે 17 મિલિયન ડોલરનો મેડિકલ નેગ્લિજન્સનો દાવો માંડવામાં આવ્યો છે.

એક પરિવારે આક્ષેપ કર્યો છે કે ઓપન હાર્ટ સર્જરી (Open-Heart Surgery) દરમિયાન તેમની 13 વર્ષની દીકરીના હૃદયમાં પ્રોસ્થેટિક વાલ્વ (Prosthetic Valve) ઊંધો લગાવી દેવામાં આવ્યો હતો, જેના કારણે તે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાવા લાગી હતી.

આ દાવો સ્ટીવન અને લોરી સ્ટોક્સ નામના દંપતી દ્વારા ડૉ. અશોક મુરલીધરન (Dr. Ashok Muralidaran) અને હોસ્પિટલ સામે દાખલ કરવામાં આવ્યો છે. ડૉ. મુરલીધરન OHSU માં પીડિયાટ્રિક એન્ડ કોન્જેનિટલ કાર્ડિયાક સર્જરીના સેક્શન હેડ છે.

ઘટનાની વિગતો: કોર્ટ ફાઇલિંગ અનુસાર, 15 ઓગસ્ટ 2025 ના રોજ આ કિશોરીના ક્ષતિગ્રસ્ત હાર્ટ વાલ્વને બદલવા માટે સર્જરી કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે પ્રોસ્થેટિક વાલ્વ ખોટી દિશામાં લગાવી દેવાયો હતો, જેથી સર્જરી પછી જ્યારે ડોક્ટરોએ તેનું હૃદય ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ગંભીર ગૂંચવણો ઊભી થઈ હતી.

ત્યારબાદ બાળકીને તાત્કાલિક લાઇફ સપોર્ટ (Life Support) એટલે કે ઇસીએમઓ (ECMO) પર રાખવામાં આવી હતી. ડોક્ટરોએ માતા-પિતાને કહી દીધું હતું કે તેમની પુત્રી બચે તેવી શક્યતા ઓછી છે અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ (Heart Transplant) અથવા ઓર્ગન ડોનેશન (Organ Donation) જેવા વિકલ્પો પર ચર્ચા શરૂ કરી દીધી હતી.

બીજી હોસ્પિટલમાં થયો ખુલાસો: માતા-પિતાની વિનંતી પર બાળકીને સિએટલ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ (Seattle Children’s Hospital) માં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ત્યાંના નિષ્ણાતોએ ઇમેજિંગ સ્ટડીઝ (Imaging Studies) કરી શોધી કાઢ્યું કે હાર્ટ વાલ્વ ઊંધો ફિટ કરાયો હતો. સિએટલના સર્જનોએ ફરી સર્જરી કરીને વાલ્વ બદલ્યો, જે બાદ બાળકીનું હૃદય સામાન્ય રીતે કામ કરવા લાગ્યું અને લાંબી સારવાર પછી તેને રજા આપવામાં આવી.

પરિવાર હવે મેડિકલ ખર્ચ, માનસિક આઘાત અને પીડા માટે 17 મિલિયન ડોલર (આશરે 1.4 અબજ રૂપિયા) ના વળતરની માંગ કરી રહ્યો છે. આ સારવાર પાછળ તેમનો 3.3 મિલિયન ડોલરથી વધુનો ખર્ચ થયો છે.

કોણ છે ડૉ. અશોક મુરલીધરન? ડૉ. મુરલીધરન અમેરિકાના જાણીતા સર્જન છે. મૂળ ભારતના તમિલનાડુના વતની એવા ડૉ. મુરલીધરને મદ્રાસ મેડિકલ કોલેજ (Madras Medical College) માંથી તબીબી શિક્ષણ મેળવ્યા બાદ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી (Stanford University) અને યેલ યુનિવર્સિટી (Yale University) માંથી એડવાન્સ ટ્રેનિંગ લીધી છે. હાલમાં આ કેસ કોર્ટમાં પડતર છે અને હોસ્પિટલ કે ડોક્ટરે આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.

Chief Editor

Recent Posts

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

9 hours ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

9 hours ago

મોદીની ચમચાગીરી ભારે પડી

મોદીની ચમચાગીરી ભારે પડી એક સમયે મોદીની ચમચાગીરી કરનારા આજે મોદીની કટ્ટર વિરોધી બની ગયા…

10 hours ago

₹2,000 સુધી UPI પેમેન્ટ ફ્રી, ત્યાર બાદ લાગશે ચાર્જ! જાણો નવા નિયમો

UPI MDR Charges | કેન્દ્ર સરકારે અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI…

10 hours ago

અમદાવાદના પ્રખ્યાત ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’

કેદીઓ દ્વારા તૈયાર થતી પૌષ્ટિક ‘ગાંધી થાળી’ બનશે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર ત્રણ માળની અદ્યતન ઈમારતમાં…

20 hours ago

કોલકાતાના ત્રણ અગ્રણી માર્ગો નામ બદલવાની દરખાસ્ત

રાજ્યમાં કમ્યુનિસ્ટ નેતાઓ વ્લાદિમીર લેનિન, કાર્લ માર્ક્સ અને હો ચી મિન્હના નામે ઓળખાતા કોલકાતાના ત્રણ…

21 hours ago