Uncategorized

કોલકાતાના ત્રણ અગ્રણી માર્ગો નામ બદલવાની દરખાસ્ત

રાજ્યમાં કમ્યુનિસ્ટ નેતાઓ વ્લાદિમીર લેનિન, કાર્લ માર્ક્સ અને હો ચી મિન્હના નામે ઓળખાતા કોલકાતાના ત્રણ અગ્રણી માર્ગો ના નામ બદલવાની દરખાસ્તો

પશ્ચિમ બંગાળની ભાજપ સરકાર દ્વારા રચવામાં આવેલી એક સમિતિ રાજ્યમાં કમ્યુનિસ્ટ નેતાઓ વ્લાદિમીર લેનિન, કાર્લ માર્ક્સ અને હો ચી મિન્હના નામે ઓળખાતા કોલકાતાના ત્રણ અગ્રણી માર્ગો સહિત ઘણા રસ્તાઓ, પુલો અને જાહેર સ્થળોના નામ બદલવાની દરખાસ્તો પર વિચાર કરી રહી છે.

ભારત સેવાશ્રમ સંઘના કાર્તિક મહારાજ તરીકે જાણીતા સ્વામી પ્રદીપ્તાનંદના અધ્યક્ષપણા હેઠળની ૧૦ સભ્યોની આ પેનલ દુર્ગા પૂજા પછી તેની પ્રથમ બેઠક યોજે તેવી શક્યતા છે. સલાહકાર સમિતિના એક વરિષ્ઠ સભ્યએ સોમવારે જણાવ્યું હતું કે, આ બેઠકમાં કોલકાતામાં રસ્તાઓના નામ બદલવાની દરખાસ્તો પર વિચાર કરવામાં આવે તેવી સંભાવના છે.

જે ત્રણ રસ્તાઓ વિશે વિચારણા ચાલી રહી છે તેમાં લેનિન સરાણી, કાર્લ માર્ક્સ સરાણી અને હો ચી મિન્હ સરાણીનો સમાવેશ થાય છે.

સિનિયર ભાજપ નેતા અને સમિતિના સભ્ય તથાગત રોયે PTIને જણાવ્યું હતું કે, “અત્યાર સુધી કોઈ નિર્ણય લેવાયો નથી, અને ઓક્ટોબરમાં દુર્ગા પૂજા પછી ભલામણો કરવામાં આવશે.”

રોયે જણાવ્યું હતું કે તેમણે ખિદિરપુરમાં આવેલા કાર્લ માર્ક્સ સરાણીનું નામ બદલીને બંગાળી કવિઓ માઇકલ મધુસૂદન દત્ત અથવા રંગાલાલ બંદ્યોપાધ્યાયના નામ પર રાખવાનું સૂચન કર્યું છે, કારણ કે આ કવિઓનો આ વિસ્તાર સાથે સંબંધ રહ્યો છે.

તેમણે અગાઉ ધર્મતલા સ્ટ્રીટ તરીકે ઓળખાતી લેનિન સરાણીનું નામ બદલીને ગણિતશાસ્ત્રી અને ભારતીય જનસંઘના ભૂતપૂર્વ પ્રમુખ દેવપ્રસાદ ઘોષના નામ પર રાખવાની પણ દરખાસ્ત કરી છે.

રોયે કહ્યું, “આ બધી ભલામણો પૂજા પછી સુપ્રત કરવામાં આવશે અને આખરી નિર્ણય કેએમસી (કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા લેવામાં આવશે.”

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું શહેરના હૃદયસમા એસ્પ્લેનેડ ક્રોસિંગ પર આવેલી લેનિનની પ્રતિમાને દૂર કરવામાં આવશે, ત્યારે રોયે કહ્યું, “જો આ અંગે કોઈ સૂચન આવશે, તો મને આશા છે કે બોર્ડ તે મુજબ વિચારશે.” હો ચી મિન્હ સરાણી માટે રોયે અમેરિકન નાગરિક અધિકાર નેતા માર્ટિન લ્યુથર કિંગ જુનિયરનું નામ સૂચવ્યું હતું.

રોયે એવું પણ સૂચન કર્યું હતું કે મુસ્લિમ હસ્તીઓના નામ ધરાવતા કેટલાક સ્થળોના નામ બદલીને એવી વાસ્તવિક હસ્તીઓના નામ પર રાખવા જોઈએ જેમને તેમણે “રાષ્ટ્રીયવાદી મુસ્લિમો” તરીકે વર્ણવ્યા હતા.

તેમણે બારાસાતમાં તિતુમીરના નામે ઓળખાતા બસ સ્ટેન્ડના વિકલ્પ તરીકે લેખક કાઝી અબ્દુલ વદૂદ, શિક્ષણશાસ્ત્રી બેગમ રોકેયા અને લેખક એસ. વાજેદ અલીના નામો સૂચવ્યા હતા.

તેમણે ઉમેર્યું, “મેં મેટ્રો રેલવે સત્તાવાળાઓને પણ સૂચન કર્યું છે કે બ્લુ લાઇનના ટોલીગંજ-ગરિયા સેક્શનના કેટલાક સ્ટેશનોના નામ હસ્તીઓના નામને બદલે સંબંધિત વિસ્તારોના નામ પર રાખવામાં આવે, જેથી મુસાફરી કરતી જનતા અને સ્થાનિક રહવાસીઓને સરળતા રહે.”

મેઘાલયના પૂર્વ રાજ્યપાલે શહેરના એક મહત્વપૂર્ણ માર્ગનું નામ સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર રાખવાની પણ અપીલ કરી હતી.

રોય ઉપરાંત મુખ્યમંત્રીના સલાહકાર સુબ્રત ગુપ્તા અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સ્મિતા પાંડે આ સમિતિના અન્ય સભ્યોમાં સામેલ છે.

રોયે જણાવ્યું હતું કે સમિતિની ભલામણો ત્યારબાદ રાજ્ય વિધાનસભાઓમાં મોકલવામાં આવશે.

આ દરખાસ્તો પર તીખી પ્રતિક્રિયા આપતા મમતા બેનર્જીની આગેવાની હેઠળના તૃણમૂલ કોંગ્રેસના જૂથે આ પગલાને “બદલાની રાજનીતિ” ગણાવી હતી.

પાર્ટીના પ્રવક્તા કુણાલ ઘોષે જણાવ્યું હતું કે કમ્યુનિસ્ટો સાથે તેમના વૈચારિક મતભેદો હોઈ શકે છે, પરંતુ લેનિન સરાણીનું નામ બદલવું જોઈએ નહીં.

ઘોષે કહ્યું, “જો તેઓ લેનિન સરાણીનું નામ બદલવાનો પ્રયાસ કરશે, તો આ બાબત માત્ર કોમરેડ લેનિન પૂરતી સીમિત નહીં રહે. આવો અભિગમ દર્શાવશે કે તેઓ ભિન્ન માન્યતાઓ, જુદા દર્શન અથવા અલગ વિચારસરણી ધરાવતી વિશિષ્ટ હસ્તીઓ પ્રત્યે સહનશીલતા કે આદર દર્શાવવા બિલકુલ તૈયાર નથી.”

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે CPI(M) ચોક્કસપણે કોમરેડ લેનિન સાથે જોડાયેલા નામ બદલવાનો વિરોધ કરશે અને TMC પણ આ પગલાનો વિરોધ કરશે, “લેનિન સરાણી અસ્તિત્વમાં હતી અને આગળ પણ રહેશે.”

જોકે, ઘોષે સ્પષ્ટ કર્યું હતું કે CPI(M) એ વર્તમાન વિવાદમાંથી પાઠ શીખવાની જરૂર છે. તેમણે દાવો કર્યો કે પાર્ટીએ ટીએમસીના “આંધળા વિરોધ” માં કેટલીકવાર ભાજપને મજબૂત કરી હતી અને જ્યારે ED અને CBI જેવી કેન્દ્રીય એજન્સીઓએ તૃણમૂલ કોંગ્રેસ સામે કાર્યવાહી કરી ત્યારે ઉત્સવ મનાવ્યો હતો.

તેમણે કહ્યું, “જો કોઈને અપમાનિત કરવા અથવા કોઈ ચોક્કસ વિચારધારા અનાદર કરવાના ઈરાદાથી રસ્તાઓના નામ બદલવામાં આવશે, તો તે કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય રહેશે નહીં.”

કોલકાતામાં મેટ્રો સ્ટેશનોના નામ બદલવાના પ્રયાસ અંગે ટીએમસીના ધારાસભ્યએ જણાવ્યું હતું કે સ્ટેશનોના નામ વિસ્તાર અને લોકો સાથેના તેમના સંબંધના પ્રતીકાત્મક સન્માન રૂપે પ્રખ્યાત હસ્તીઓ પર રાખવામાં આવ્યા હતા અને લોકોએ તેનો સ્વીકાર કર્યો હતો.

ઘોષે દલીલ કરી, “બધા જાણે છે કે મેટ્રો સ્ટેશન માટે બરુણ સેનગુપ્તાનું નામ કેમ પસંદ કરવામાં આવ્યું હતું. તેઓ એક પ્રતિષ્ઠિત પત્રકાર, લેખક અને નિબંધકાર હતા. જ્યાં પણ કોઈ વિસ્તારનો કોઈ જાહેર હસ્તી સાથે સંબંધ હોય, અથવા જ્યાં તેમના નામે સ્થળનું નામ રાખીને તેમનું સન્માન કરવું યોગ્ય હોય, તે નામ જાળવી રાખવું જોઈએ. ઉત્તમ કુમાર તેનું બીજું ઉદાહરણ છે.”

તેમણે આક્ષેપ કર્યો હતો કે, “અમે વિશિષ્ટ હસ્તીઓનું સન્માન કરવાની સંસ્કૃતિ ઊભી કરી હતી, જ્યારે તેઓ (ભાજપ) તેને નષ્ટ કરવાના ઉદ્દેશ્યથી વિનાશક અને નકારાત્મક વાતાવરણ ઊભું કરી રહ્યા છે

Chief Editor

Recent Posts

અમદાવાદના પ્રખ્યાત ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’

કેદીઓ દ્વારા તૈયાર થતી પૌષ્ટિક ‘ગાંધી થાળી’ બનશે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર ત્રણ માળની અદ્યતન ઈમારતમાં…

3 hours ago

મુંબઈના રૂ. ૫,૦૦૦ કરોડની સંપત્તિ ધરાવતા ધારાસભ્ય શા માટે એક દિવસ માટે ‘ભિખારી’ બન્યા?

મુંબઈના રૂ. ૫,૦૦૦ કરોડની સંપત્તિ ધરાવતા ધારાસભ્ય શા માટે એક દિવસ માટે 'ભિખારી' બન્યા? પરાગ…

4 hours ago

ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે જસ્ટિસ માનસ રંજન પાઠકે શપથગ્રહણ કર્ય

મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુનિતા અગ્રવાલે ગુજરાત હાઇકોર્ટ ખાતે જસ્ટિસ માનસ રંજન પાઠકને શપથ લેવડાવ્યા **…

21 hours ago

વિકસિત ગુજરાતથી વિકસિત ભારત

વિકસિત ગુજરાતથી વિકસિત ભારત: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એન્જિનિયરિંગ અને સુશાસનની અદભુત યાત્રા **…

21 hours ago

“અથાગ પરિશ્રમ અને મહેનતથી સંસ્થા વટવૃક્ષ બને છે..: કેન્દ્રીય રાજ્યમંત્રી

સહકારથી સમૃદ્ધિ તરફ ગુજરાતની ગવર્મેન્ટ એમ્પલોઈઝ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની વિકાસયાત્રા ----- કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન…

21 hours ago

લંડનમાં ઇતિહાસ રચાયો: ટેમ્સ નદીના કિનારે પ્રથમ વખત ‘ગંગા આરતી’ યોજાઈ

"ગંગા આરતી ઓન ધ ટેમ્સ: અ સિરેમની ઓફ લાઈટ આ કાર્યક્રમ સંપૂર્ણપણે જમીન પર જ…

22 hours ago