Jethalal Shahrukh Khan | ટીવી (TV) ઇતિહાસના સૌથી પ્રખ્યાત શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં ‘જેઠાલાલ’ નું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતા થયેલા અભિનેતા દિલીપ જોશી આજે કોઈ ઓળખના મોહતાજ નથી. પરંતુ નાના પડદા પર આવતા પહેલાં તેમણે બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું, જેમાં તેમણે શાહરૂખ ખાન સાથે સ્ક્રીન શેર કરી હતી.
હાલમાં સોશિયલ મીડિયા (Social media) પર બંનેનો એક ૨૫ વર્ષ જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાહરૂખ ખાને અજાણતામાં દિલીપ જોશી માટે કંઈક એવું કહ્યું હતું જે આગળ જતાં તેમના કરિયરમાં સાચું સાબિત થયું.
આ વાયરલ વીડિયો વર્ષ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વન ટુ કા ફોર’ (One 2 Ka 4) નો છે. એક સીનમાં શાહરૂખ ખાન સીડીઓ પરથી નીચે ઉતરે છે ત્યારે નીચે સૂતેલા દિલીપ જોશી સાથે અથડાઈને પડી જાય છે અને ગુસ્સામાં કહે છે, ‘ચંપકની ઔલાદ, કેટલી વાર કહ્યું છે કે સીડીઓની સામે પથારી ન કર.’
આ ડાયલોગ બરાબર 7 વર્ષ પછી એટલે કે વર્ષ 2008માં સાચો સાબિત થયો જ્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો શરૂ થયો. આ શોમાં દિલીપ જોશીને ‘જેઠાલાલ’ નું પાત્ર મળ્યું, જેમના પિતાનું નામ ‘ચંપકલાલ ગઢા’ (બાપુજી) છે. આમ, શાહરૂખે ફિલ્મમાં જેમને ‘ચંપકની ઔલાદ’ કહ્યા હતા, તે ટીવી પર સાચે જ ચંપકલાલના પુત્ર જેઠાલાલ બન્યા.
દિલીપ જોશી છેલ્લા 18 વર્ષથી આ શો દ્વારા દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. આજે લોકો તેમને અસલી નામ કરતાં ‘જેઠાલાલ’ ના નામથી વધુ ઓળખે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) ના નામે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના ઘણા ઐતિહાસિક રેકોર્ડ નોંધાયેલા છે.
સૌથી લાંબા સમય સુધી ચાલતા ડેઇલી સિટકોમ (Daily Sitcom) તરીકે આ શોનું નામ ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’ અને ‘લિમકા બુક ઓફ રેકોર્ડ્સ’ માં નોંધાઈ ચૂક્યું છે. આ સીરિયલ 4500થી વધુ એપિસોડ્સ પૂર્ણ કરવાનો એક ઐતિહાસિક આંકડો પણ પાર કરી ચૂકી છે.
૩ ઓગસ્ટ-‘ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે’ **** ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોનો સમગ્ર ભારતમાં…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે યોજાયેલી ભવ્ય કળશ યાત્રાને આવકારી…
LPG eKYC Deadline | જો તમે પણ રસોઈ ગેસ સિલિન્ડરનો (LPG Cylinder) ઉપયોગ કરો છો,…
Salman Khan | રિયાલિટી શો (Reality Show) 'ધ અલાયન્સ' (The Alliance) ના ફિનાલે વીકમાં (Finale…
Vinesh Phogat Brij Bhushan Singh | દિલ્હીની એક અદાલતે (Court) સોમવારે (3 August 2026) ભારતીય કુસ્તી…
બોમ્બ વિસ્ફોટમાં પાંચ પોલીસ કર્મચારીઓ અને ચાર નાગરિકો સહિત ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા…