Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

દિલ્હીમાં માલવીય નગરની હોટલમાં ભીષણ આગ, 21 લોકોના કમકમાટીભર્યા મોત

Chief Editor June 3, 2026
delhi-malviya-nagar-hotel-fire-deaths

Delhi Hotel Fire | દિલ્હીના માલવીય નગર (Malviya Nagar) વિસ્તારમાં આવેલી એક હોટલમાં બુધવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત (Accident) સર્જાયો હતો. અહીંના હૌઝ રાની વિસ્તારમાં આવેલી 5 માળની ‘ફ્લોરિશ સ્ટે’ (Flourish Stay) હોટલમાં સવારે આશરે 8:50 વાગ્યે ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગના વિદેશી નાગરિકો (Foreign Nationals) સામેલ છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગની શરૂઆત હોટલના બેઝમેન્ટમાં આવેલી ‘લેમન ગ્રીન રેસ્ટોરન્ટ’ (Lemon Green Restaurant) માંથી થઈ હતી. રેસ્ટોરન્ટના રસોઇયા કેસર સિંહે જણાવ્યું કે સવારે 8:00 વાગ્યે જ્યારે તેમણે ઇલેક્ટ્રિક સ્ટવ (Electric Stove) ચાલુ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં તે આખી હોટલમાં ફેલાઈ ગઈ હતી. ફાયર વિભાગને સવારે 9:00 વાગ્યે કોલ મળતા જ તાત્કાલિક 10 ફાયર ટેન્ડર (Fire Tenders) ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Group

ફાયર ઓફિસર A.K. મલિકે જણાવ્યું કે આ બિલ્ડિંગમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને 5 ઉપરના માળ છે. આ હોટલમાં રોકાયેલા મોટાભાગના લોકો સામે આવેલી મેક્સ હોસ્પિટલ (Max Hospital) માં સારવાર લઈ રહેલા દર્દીઓના સંબંધીઓ હતા.

તપાસમાં સામે આવ્યું છે કે હોટલમાં એન્ટ્રી અને એક્ઝિટ (Entry-Exit) માટે માત્ર એક જ રસ્તો હતો, જેના કારણે ધુમાડો ફેલાતા લોકોને બહાર નીકળવાની તક મળી ન હતી. જોકે, ફાયર ફાઈટર્સે ભારે જહેમત બાદ બેઝમેન્ટમાંથી 37 લોકોને સુરક્ષિત રેસ્ક્યૂ (Rescue) કરીને હોસ્પિટલ ખસેડ્યા છે. આ મામલે હોટલ માલિક સામે FIR નોંધીને તેની ધરપકડના આદેશ આપવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીઃ વડાપ્રધાન કાર્યાલય (PMO) એ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ PMNRF તરફથી પ્રત્યેક મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની આર્થિક સહાય (Compensation) આપવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાઃ દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે દિલ્હી સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ઘાયલોને મફત અને શ્રેષ્ઠ તબીબી સારવાર (Medical Treatment) પૂરી પાડવામાં આવી રહી છે અને સમગ્ર ઘટનાની તપાસના આદેશ અપાયા છે.

ગૃહમંત્રી અમિત શાહઃ કેન્દ્રીય ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે માલવીય નગરની ઘટનાથી મન અત્યંત વ્યથિત છે. સ્થાનિક વહીવટીતંત્ર રાહત કાર્યમાં લાગેલું છે અને શોકાકુલ પરિવારો પ્રત્યે તેઓ ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.

દિલ્હી એલજીઃ દિલ્હીના ઉપરાજ્યપાલે (LG) ઘટનાસ્થળે તૈનાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ (DDMA) અને પોલીસ અધિકારીઓને પીડિતોને તાત્કાલિક રાહત આપવા અને હોટલમાં સુરક્ષાના નિયમોના ઉલ્લંઘનની ઝીણવટભરી તપાસ કરવા સૂચના આપી છે.

રાહુલ ગાંધીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ અકસ્માતને અત્યંત દુઃખદ ગણાવ્યો છે અને સ્થાનિક કોંગ્રેસ કાર્યકર્તાઓને બચાવ તેમજ રાહત કામગીરીમાં વહીવટીતંત્રને તમામ સંભવિત મદદ કરવાની અપીલ કરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Delhi (દિલ્હી) Fire (આગ)

Post navigation

Previous: 3 જૂને વાસદ–રણોલી સ્ટેશનો વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત
Next: Global Oil Crisis: 3 અઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવમાં થશે મોટો બ્લાસ્ટ
Follow

Recent Posts

  • લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ
  • યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું
  • તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ
  • Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ
  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.