Ajit Pawar plane's black boxes damaged in fire
Ajit Pawar Plane Crash | મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar)ના વિમાન અકસ્માતમાં નિધન બાદ તપાસને લઈને અનેક શંકાઓ જન્મી છે. અજિત પવારના પુત્ર જય પવાર (Jay Pawar) એ આ દુર્ઘટના પાછળની ગંભીર ખામીઓની તપાસ કરવાની માંગ કરતા બ્લેક બોક્સ (Black Box) ની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા છે.
બ્લેક બોક્સ અંગે ઉઠાવી શંકા : જય પવારે સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ દ્વારા જણાવ્યું કે, પ્લેનનું બ્લેક બોક્સ અત્યંત ગરમી અને દબાણ સહન કરવા માટે બનેલું હોય છે, તે આટલી સરળતાથી નષ્ટ થઈ શકે નહીં. તેમણે VSR વેન્ચર્સ (VSR Ventures) એવિએશન કંપની પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે, જે ‘લિયરજેટ 45XR’ (Learjet 45XR) પ્લેન ઓપરેટ કરતી હતી.
CBI તપાસની માંગ : આ ઘટનામાં કોઈ ષડયંત્ર (Conspiracy) હોવાની શંકા વ્યક્ત કરતા ડેપ્યુટી સીએમ સુનેત્રા પવાર અને NCP નેતાઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) ને મળીને CBI તપાસની માંગ કરી છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) હાલ કોકપિટ વોઈસ રેકોર્ડર (CVR) માંથી ડેટા રિકવરી માટે પ્રયાસો કરી રહ્યું છે. મહારાષ્ટ્રની જનતા આ ક્રેશ પાછળનું સત્ય જાણવા આતુર છે.
