Breaking News

RSS Sangh Vijaya Dashami Utsav Mohan Bhagwat

8 મે થી રાજકોટ-પોરબંદર સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર

પશ્ચિમ રેલવેએ રાજકોટ અને પોરબંદર વચ્ચે અઠવાડિયામાં 6 દિવસ (મંગળવાર સિવાય) દોડનારી ટ્રેન નંબર 09595 રાજકોટ-પોરબંદર સ્પેશિયલ ના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. 8મી મે, 2023 થી આ ટ્રેન રાજકોટ સ્ટેશન થી 30 મિનિટ વહેલા ઉપડશે એટલે કે તેના હાલના 15.15 કલાકના સમયને બદલે 14.45 કલાકે ઉપડશે અને પોરબંદર સ્ટેશને 19.10 કલાકે પહોંચશે. નોંધનીય છે કે ટ્રેન નંબર 09596 પોરબંદર-રાજકોટ સ્પેશિયલ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

.

ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન વિશે વિગતવાર માહિતી માટે, કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો.


સુનિલ કુમાર મીના,

સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર,

પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: