Gurdeep Singh NYC Shooting
Gurdeep Singh NYC Shooting | અમેરિકાના (America) ન્યૂયોર્ક (New York) શહેરમાં ભારતીય નાગરિકો પર થઈ રહેલા હિંસક અટેક (Attacks) ની વધુ એક અત્યંત કમનસીબ ઘટના સામે આવી છે. ન્યૂયોર્ક સટીમાં (NYC) અજાણ્યા બંદૂકધારી દ્વારા ભારતીય નાગરિક ગુરદીપ સિંહ (Gurdeep Singh) પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં તેમનું કરૂણ મોત નીપજ્યું છે.
આ બનાવને પગલે ન્યૂયોર્ક સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસે (Consulate General of India, New York) ગંભીર શોક વ્યક્ત કર્યો છે અને નેશનલ એસોસિએશન ઓફ પંજાબીઝ ઇન અમેરિકા (NAPA) દ્વારા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, ગુરદીપ સિંહ (Gurdeep Singh) પોતાના કામસર ન્યૂયોર્કના (NYC) વિસ્તારમાં હતા ત્યારે એક અજાણ્યા શખ્સે તેમની નજીક આવીને બંદૂકની અણીએ પોઇન્ટ બ્લેન્ક રેન્જ (Point Blank Range) પર ગોળીબાર કર્યો હતો.
ગંભીર રીતે ઘાયલ થયેલા ગુરદીપ સિંહને તુરંત હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ (NYPD) દ્વારા આ ઘટના સ્થળે પહોંચી CTV અને પુરાવા એકત્ર કરી હુમલાખોરની ભાળ મેળવવા માટે સઘન તપાસ શરૂ કરી છે.
આ દુઃખદ ઘટના પર ન્યૂયોર્કમાં (New York) આવેલા ભારતના મહાવાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) પર પોસ્ટ કરીને ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
દૂતાવાસે જણાવ્યું હતું કે તેઓ મૃતક ગુરદીપ સિંહના (Gurdeep Singh) પરિવારજનો સાથે સતત સંપર્કમાં છે. સ્થાનિક પોલીસ સત્તાવાળાઓ (NYPD) સાથે મળીને આ કેસમાં ઝડપી તપાસ અને કાયદાકીય કાર્યવાહી થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ પરિવારને મૃતદેહ ભારત લાવવા અથવા અંતિમ સંસ્કાર માટે તમામ પ્રકારની કોન્સ્યુલર સહાય (Consular Assistance) પૂરી પાડવામાં આવી રહી છે.
બીજી તરફ, આ ઘટના બાદ અમેરિકામાં (America) વસતા ભારતીય સમુદાયમાં ભારે રોષ અને ભયનું મોજું ફરી વળ્યું છે. નેશનલ એસોસિએશન ઓફ પંજાબીઝ ઇન અમેરિકા (NAPA) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સતનામ સિંહ ચહલે (Satnam Singh Chahal) આ હત્યાની સખત શબ્દોમાં નિંદા કરી છે.
તેમણે અમેરિકન પ્રશાસન અને સ્થાનિક પોલીસ સત્તાવાળાઓ પાસે ભારતીયો અને એનઆરઆઈ (NRI) કમ્યુનિટીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને હુમલાખોરની સત્વરે ધરપકડ કરીને તેને સખતમાં સખત સજા આપવાની આગ્રહભરી માંગ કરી છે.
અમેરિકાના (America) વિવિધ શહેરોમાં તાજેતરના સમયમાં ભારતીય મૂળના લોકો પર ગોળીબાર, લૂંટ અને હિંસક હુમલાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. ખાસ કરીને નાના વ્યવસાયો, સ્ટોર્સ અને ટેક્સી સર્વિસ સાથે સંકળાયેલા ભારતીયોમાં આ ઘટનાથી પોતાની સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે.
