જહાંગીરખાન ફફડડીને જીવી રહ્યો છે

પ.બંગાળમાં ચૂંટણી દરમ્યાન બહુ તોફાની એવા ફ્લાટા મત વિસ્તારમાં 21 મીએ ફેર મતદાન છે. ફાલ્ટાનો બહુ બદમાશ જહાંગીર ખાન તૃણમૂલ કોંગ્રેસનો ઉેમેદવાર છે. તેણે આજે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ફાલ્ટા વિસ્તારના ડોમ બનીને ફરતા જહાંગીર ખાનના ઘેર જઇને સિંઘમ તરીકે ઓળખાતા આઇપીએસ અજય શર્મા એ દરેકને ચેતવ્યા હતાકે ચૂંટણીમાં કોઇ તોફાન કરશે તો હું દરેકને ફટકારીશ. જહાંગીરખાન જ્યારે ધેર આવ્યો ત્યારે તેણે સિંધમની ધમકીનો જવાબ આપતા કહ્યું હતું કે તું સિંધમ છું તો હુ પુષ્પા છું. પુષ્પા ફિલ્મનો ડાયલોગ છે કે પુષ્પા..ઝૂકેગા નહીં સાલા. આ ડાયલોગ બહુ જાણીતો બન્યો હતો. જહાંગીર ખાને પણ આ ડાયલોગનો ઉપયોગ કર્યો હતો.
હવે જ્યારે તૃણમૂલ કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે ત્યારે 21મીના ફેરમતદાનમાં મુખ્યપ્રધાન પોતે પ્રચાર કરીને કહેતા હતા કે જહાંગીરખાનથી ગભરાવાની જરૃર નથી તેને તો અમે જોઇ લઇશું.
તૃણમૂલના સફાયા પછી ભાજપના રાજમાં જે રીતે ગુંડાઓ ભાગતા ફરે છે તે જોઇને જહાંગીરખાન ફફડી ગયો હતો. પોતાની જાતને પુષ્પા તરીકે ઓળખાતા જહાંગીર ખાને આજે ચૂંટણી જંગમાંથી પોતાની ઉંમેદવારી પાછી ખેંચી લીધી હતી..
જે હત્યા અને બળાત્કારની ધમકી આપતો હતો તે જહાંગીરખાન ફફડડીને જીવી રહ્યો છે
