Rajpal Yadav Jail | બોલિવૂડના પ્રખ્યાત કોમેડિયન રાજપાલ યાદવ (Rajpal Yadav) હાલમાં 9 કરોડ રૂપિયાના દેવા અને ચેક બાઉન્સ કેસમાં (Cheque Bounce Case) દિલ્હીની તિહાર જેલમાં (Tihar Jail) બંધ છે.
આ મુશ્કેલ સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર પ્રિયદર્શન (Priyadarshan) તેમના સમર્થનમાં આવ્યા છે. પ્રિયદર્શને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રાજપાલ એક સારા વ્યક્તિ છે, પરંતુ ઓછું ભણેલા હોવાને કારણે (Less Educated) તેમનાથી કેટલીક વહીવટી ભૂલો થઈ ગઈ છે.
રાજપાલની આર્થિક તંગી (Financial Crisis) જોતા પ્રિયદર્શને તેમની આગામી ફિલ્મ માટે રાજપાલની ફી (Fees) વધારી દીધી છે અને પ્રોડ્યુસર્સને પણ તેમને વધુ પેમેન્ટ કરવા વિનંતી કરી છે.
રાજપાલ યાદવની મુશ્કેલીઓ વર્ષ 2010 માં શરૂ થઈ હતી જ્યારે તેમણે ‘અતા પતા લાપતા’ ફિલ્મ બનાવવા માટે એક કંપની પાસેથી 5 કરોડ રૂપિયાની લોન (Loan) લીધી હતી.
ફિલ્મ ફ્લોપ થવાને કારણે તેઓ આ રકમ ચૂકવી શક્યા નહીં અને વ્યાજ સાથે આ રકમ વધીને 9 કરોડ રૂપિયા થઈ ગઈ. જે ચેક તેમણે આપ્યા હતા તે બાઉન્સ (Check Bounce) થતા દિલ્હી હાઈકોર્ટના (Delhi High Court) આદેશ બાદ તેમણે સરેન્ડર કરવું પડ્યું હતું. જેલમાં જતા પહેલા રાજપાલે દુઃખ વ્યક્ત કર્યું હતું કે આ લડાઈમાં તેઓ એકલા છે અને તેમનો કોઈ મિત્ર નથી.
રાજપાલ યાદવની આર્થિક સ્થિતિ વિશે જાણીને બોલિવૂડના અનેક સિતારાઓ મદદે આવ્યા છે. સોનુ સૂદ (Sonu Sood) દ્વારા મદદની અપીલ કર્યા બાદ રકમ એકઠી કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. અત્યાર સુધીમાં અંદાજે 2.5 કરોડ રૂપિયા જેટલી રકમ ભેગી થઈ હોવાનું મનાય છે.
પ્રિયદર્શને જણાવ્યું કે તેઓ રાજપાલને છેલ્લા 20 વર્ષથી ઓળખે છે અને તેમની પ્રતિભાના પ્રશંસક છે, તેથી તેઓ ઈચ્છે છે કે રાજપાલ આ કાયદાકીય મુસીબતમાંથી (Legal Trouble) વહેલી તકે બહાર આવે. આ કેસની આગામી સુનાવણી (Hearing) 16 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.
