Breaking News

Dr Ram Vilas Vedanti the main leader of the Ram temple movement Died Congress will have the same consequences as the Mughal Empire, it will be buried in history tv car smartphone laptop prices likely to rise from january 2026 Centre To Replace MGNREGA With G Ram G Sambhesinh Parmar becomes chairman and Vijay Patel becomes vice chairman of Amul Dairy

IndiGo

Indigo Crisis : દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. એરલાઈને જાહેરાત કરી છે કે તે 3, 4 અને 5 ડિસેમ્બર, 2025ના રોજ ફ્લાઇટ રદ થવા અથવા ભારે વિલંબને કારણે એરપોર્ટ પર ફસાયેલા તમામ મુસાફરોને ₹500 કરોડથી વધુનું વળતર (મુઆવજો) આપશે.

રિફંડ પ્રક્રિયાની શરૂઆત: શુક્રવારે ‘X’ (અગાઉનું ટ્વિટર) પર જારી કરાયેલા એક નિવેદનમાં એરલાઈને જણાવ્યું હતું કે તેમનો હેતુ આ પ્રક્રિયાને શક્ય તેટલી પારદર્શક, સરળ અને મુશ્કેલી-મુક્ત બનાવવાનો છે.

ઈન્ડિગોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ 3, 4 અને 5 ડિસેમ્બરની તમામ અસરગ્રસ્ત ફ્લાઇટ્સની ઓળખ કરી રહ્યા છે, જેમાં મુસાફરોને ભારે હાલાકી પડી હતી. આ ઓળખ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાન્યુઆરી 2026થી એરલાઈન સીધો મુસાફરોનો સંપર્ક કરીને રિફંડ અને વળતર આપવાનું શરૂ કરશે.

કોને વળતર મળશે? એરલાઈન એવા ગ્રાહકોને વળતર આપશે:

  • જેની ફ્લાઇટ્સ પ્રસ્થાનના 24 કલાકની અંદર રદ કરવામાં આવી હતી.

  • જેઓ એરપોર્ટ પર લાંબા સમય સુધી ફસાયેલા રહ્યા હતા.

ઈન્ડિગોએ જણાવ્યું કે ડિસેમ્બર 2025 સુધીમાં તેમનું પ્રાથમિક ધ્યાન એ સુનિશ્ચિત કરવા પર છે કે અસરગ્રસ્ત ગ્રાહકોના તમામ રિફંડ અત્યંત ઝડપ અને કાર્યક્ષમતા સાથે મોકલી આપવામાં આવે. કંપનીએ ઉમેર્યું કે મોટાભાગના રિફંડ પહેલેથી જ પૂરા થઈ ગયા છે અને બાકીના ટૂંક સમયમાં મોકલી દેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: