Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

Video : ગુજરાતમાં 21357 માતાએ પોતાના દૂધનું દાન કરતાં 19731 બાળકોને મળ્યું નવજીવન

Chief Editor August 6, 2025
21357 mothers in Gujarat donated their milk, giving life to 19731 children

21357 mothers in Gujarat donated their milk, giving life to 19731 children

World Breastfeeding Week | દર વર્ષે 1થી 7 ઓગસ્ટ દરમિયાન, ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. તે એક વૈશ્વિક ઝુંબેશ છે જેનો ઉદ્દેશ્ય સ્તનપાનને પ્રોત્સાહન આપવા, રક્ષણ આપવા અને સમર્થન આપવાનો છે. સ્તનપાન એ માત્ર શિશુ માટે પોષણનો સૌથી કુદરતી અને શ્રેષ્ઠ સ્ત્રોત નથી, પરંતુ તે માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે મજબૂત પાયો પણ નાખે છે.

બાળકના જન્મથી લઈને છ મહિના સુધી માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન છે. પરંતુ જે માતા બાળકને દૂધ નથી આપી શકતી તેવા બાળકો અને આરોગ્યના કારણસર જે બાળકો માતાના દૂઘને સીધું ગ્રહણ કરવા સક્ષમ નથી હોતા તેવા બાળકોને બીજી માતા પરોક્ષ માતા તરીકે અમૃતરૂપી દૂધ આપી શકે તેના માટે ‘હ્યુમન મિલ્ક બેન્ક આશીર્વાદ સમાન હોય છે.

ગુજરાતમાં કાર્યરત્‌ ‘મધર મિલ્ક બેન્કમાં અત્યાર સુધીમાં 21,357 માતાઓ દ્વારા અમૃતરૂપી દૂધનું દાન કરાયું છે, જેનો અંદાજે 19,731 બાળકોને લાભ અપાયો છે. ગુજરાતમાં દર વર્ષે અંદાજે 13 લાખ બાળકોનો જન્મ થાય છે જેમાંથી અમુક બાળકો પ્રિટર્મ હોય છે અને ઓછા વજનવાળા હોય છે.

આ તમામ બાળકો જ્ઞાનાત્મક વિકાસની દ્રષ્ટિએ સંવેદનશીલ હોય છે. સામાન્ય રીતે તેમની તબીબી પરિસ્થિતિઓને કારણે તેઓ માતાનું દૂધ સીધું ગ્રહણ કરી શકતા નથી. આવા બાળકો માટે આ અન્ય માતાઓ દ્વારા આપવામાં આવેલું દૂધ અમૃત સમાન બને છે.



સચરાચરની Whatsapp Channelમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Gujarat (ગુજરાત)

Post navigation

Previous: ઉત્તરકાશીમાં કુદરતનો પ્રકોપ: પૂરમાં હોટલ, ઘર અને દુકાનો તણાઈ ગયા, 4ના મોત; 70 લોકો ગુમ, Videoમાં જુઓ દ્રશ્ય
Next: રાજ્યભરના તમામ જિલ્લાઓમાં આજથી થી 12 ઓગસ્ટ સુધી ‘સંસ્કૃત સપ્તાહ’ની ઉજવણી કરાશે
Follow

Recent Posts

  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો
  • સોના-ચાંદીના ભાવમાં ભડકો: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે સોનું ₹1.66 લાખને પાર, જાણો આજના લેટેસ્ટ ભાવ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.