Gujarat Development

સોમનાથ અમૃતપર્વ-2026

—————
*સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર મંદિર ઉપર ૧૧મી મેએ ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક થશે*
——————
*૯૦ મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને શિખર સુધી લઈ જવાશે, મંત્રોચ્ચાર સાથે કરાશે અભિષેક*
——————
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” ઉત્સવના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ વર્તાઈ રહ્યા છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઈતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે. પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે.
“સોમનાથ અમૃતપર્વ ૨૦૨૬”ના વિશેષ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૧૧મી મેના રોજ સોમનાથ આવી રહ્યા છે.
વડાપ્રધાનશ્રી સવારે સોમનાથ મહાદેવની મહાપૂજા કરશે. આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી વિશાળ કુંભ ૯૦ મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે. બ્રાહ્મણો પણ આ કુંભની સાથે જ રહેશે. ૧૧ તીર્થોના પવિત્ર જળ ભરેલા આ કુંભથી મંત્રોચ્ચાર સાથે શિખર પર અભિષેક કરવામાં આવશે.
આ અંગે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ શ્રી હેમલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, પુન:નિર્મિત સોમનાથ મંદિરના ઈતિહાસમાં પહેલીવાર શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે દેશના દક્ષિણના રાજ્યોમાં આ પરંપરા જોવા મળે છે. જ્યાં મોટેભાગે ૧૦-૧૨ વર્ષે મંદિરના શિખર પર અભિષેક કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે. પરંતુ સોમનાથમાં આવું પ્રથમવાર થઈ રહ્યું છે.
Chief Editor

Recent Posts

71માં રેલવે સપ્તાહ: અમદાવાદ મંડળે જીત્યા 7 કુશળતા શીલ્ડ

  પશ્ચિમ રેલવેની પ્રથમ જનસંપર્ક શીલ્ડ પણ અમદાવાદ મંડળના નામે   પશ્ચિમ રેલવેના 71મા રેલ…

4 hours ago

11 મે 2026થી ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેનની શરૂઆત

મંગળવારે સવારે 08.00 વાગ્યે અમદાવાદ પહોંચશે અને બુધવારે રાત્રે 23.30 વાગ્યે તિરુપતિ પહોંચશે   મુસાફરોની…

4 hours ago

Redmi K100 સીરીઝ: 10,000mAh બેટરી અને 2K ડિસ્પ્લે ફીચર્સ સાથે આવશે

રેડમી (Redmi) હવે તેના પોર્ટફોલિયોમાં પાવરફુલ સ્માર્ટફોન ઉમેરવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલો મુજબ, કંપની…

7 hours ago

ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી: આ જિલ્લામાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ

Gujarat Heatwave Alert | ગુજરાતમાં અત્યારે ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. હવામાન વિભાગ (Meteorological Department)…

1 day ago

ટ્રમ્પની ઈરાનને ચેતવણી: પરમાણુ મંત્રણા નિષ્ફળ જશે તો લેવાશે આકરા પગલાં

Trump Iran Warning | અમેરિકા અને ઈઝરાયલ સાથેના વધતા તણાવ વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald…

1 day ago

કેરલમમાં જીત બાદ કોંગ્રેસમાં ‘મહાભારત’! કાર્યકરોની વી. ડી. સતીશનને જ મુખ્યમંત્રી

કેરલમ (Keralam) વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ હવે કોંગ્રેસમાં મુખ્યમંત્રીની પસંદગી મામલે ભારે ઘમસાણ…

1 day ago