Railway Update

સાબરમતી–જમ્મુતવી વચ્ચે વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

14 જૂને પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી–જમ્મુતવી વચ્ચે વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી અને જમ્મુતવી વચ્ચે વિશેષ ભાડા પર એક વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની વિગતો નીચે મુજબ છે:

• ટ્રેન સંખ્યા 09431 સાબરમતી–જમ્મુતવી વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન સંખ્યા 09431 સાબરમતી–જમ્મુતવી વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ 14 જૂન, 2026 (રવિવાર)ના રોજ સાબરમતીથી સવારે 08:50 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 10:20 વાગ્યે જમ્મુતવી પહોંચશે.
માર્ગમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, સુમેરપુર જવાઈ બાંધ, ફાલના, મારવાડ જંક્શન, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઈ, અલવર, રેવાડી, રોહતક, જીંદ, નરવાના, જાખલ, ધૂરી, લુધિયાણા, જાલંધર કૅન્ટ અને પઠાણકોટ કૅન્ટ સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં એસી–1 ટીયર, એસી-2 ટીય, એસી – 3 ટીયર, સ્લીપર તથા સામાન્ય શ્રેણીના કોચ રહેશે.

ટ્રેન સંખ્યા 09431 માટેનું આરક્ષણ 13 જૂન, 2026થી તમામ પીઆરએસ કાઉન્ટરો તેમજ આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે.ટ્રેનના સમય, રોકાણ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરોને વિનંતી છે કે તેઓ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ માહિતી મેળવી શકે.

Chief Editor

Recent Posts

ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોનો સમગ્ર ભારતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

૩ ઓગસ્ટ-‘ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે’ **** ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોનો સમગ્ર ભારતમાં…

9 hours ago

ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે કળશ યાત્રાને આવકારી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે યોજાયેલી ભવ્ય કળશ યાત્રાને આવકારી…

9 hours ago

સોહેલના ડિવોર્સ પર બોલ્યા સલમાન ખાન, ભાઈનો કર્યો બચાવ

Salman Khan | રિયાલિટી શો (Reality Show) 'ધ અલાયન્સ' (The Alliance) ના ફિનાલે વીકમાં (Finale…

17 hours ago

પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશન બહાર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ: ૧૪ ના મોત

 બોમ્બ વિસ્ફોટમાં પાંચ પોલીસ કર્મચારીઓ અને ચાર નાગરિકો સહિત ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા…

1 day ago