Gujarat

વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે મહેસાણા રેલવે સ્ટેશન પર રક્તદાન શિબિરનું આયોજન

મહેસાણા રેલવે સ્ટાફના ‘રેલવે સેવાર્થ ગ્રુપ’

 

‘વિશ્વ રક્તદાન દિવસ’ના અવસરે આજે મહેસાણા રેલવે સ્ટેશન ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સરાહનીય પહેલ મહેસાણા રેલવે સ્ટાફના ‘રેલવે સેવાર્થ ગ્રુપ’ દ્વારા કરવામાં આવી હતી, જેમાં રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ તથા પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO),અમદાવાદની અધ્યક્ષા શ્રીમતી શેફાલી ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.

‘રેલવે સેવાર્થ ગ્રુપ’ના આ સેવાકાર્યમાં રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ સામાજિક જવાબદારી નિભાવી કુલ 101 યુનિટ રક્ત એકત્રિત કર્યું.

મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે તમામ રક્તદાતાઓને આ જીવનદાયી યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા અને ‘રેલવે સેવાર્થ ગ્રુપ’ની સેવાભાવનાની પ્રશંસા કરી. તેમણે ભવિષ્યમાં પણ આવા સામાજિક કાર્યોને આગળ વધારવાની પ્રેરણા આપી અને રક્તદાનને માનવસેવાનું શ્રેષ્ઠ માધ્યમ ગણાવી દરેક સ્વસ્થ વ્યક્તિને નિયમિત રક્તદાન કરવા અપીલ કરી.

 

WRWWOની અધ્યક્ષા શ્રીમતી શેફાલી ગુપ્તાએ કાર્યક્રમના ઉત્તમ આયોજનની પ્રશંસા કરી. તેમણે મહત્વપૂર્ણ સૂચન કરતાં જણાવ્યું કે અમદાવાદ ડિવિઝનમાં રેલવેનું પોતાનું સમર્પિત ‘બ્લડ બેંક’ હોવું જોઈએ, જેથી આપત્તિકાળની સ્થિતિમાં રેલવે કર્મચારીઓ તથા સામાન્ય નાગરિકોને તાત્કાલિક મદદ મળી શકે.

સમારોહ દરમિયાન રક્તદાતાઓના યોગદાનની પ્રશંસા સાથે સહાયક વાણિજ્ય પ્રબંધક-FM અને સહાયક મંડળ સિગ્નલ અને દૂરસંચાર ઇજનેર, મહેસાણાને તેમના ઉત્કૃષ્ટ સહકાર બદલ મુખ્ય અતિથિઓના હસ્તે સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.

રક્તદાતાઓને પ્રોત્સાહન આપવા મંડળના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વરિષ્ઠ મંડળ સિગ્નલ અને દૂરસંચાર ઇંજિનિયર, વરિષ્ઠ મંડળ ઇલેક્ટ્રિકલ ઇંજિનિયર-TRD, વરિષ્ઠ મંડળ વિદ્યુત ઇંજિનિયર-G, મંડળ ઇંજિનિયર-નોર્થ તથા સહાયક વાણિજ્ય પ્રબંધક-FM ઉપસ્થિત રહ્યા હતા.

Chief Editor

Recent Posts

ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોનો સમગ્ર ભારતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

૩ ઓગસ્ટ-‘ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે’ **** ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોનો સમગ્ર ભારતમાં…

7 hours ago

ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે કળશ યાત્રાને આવકારી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે યોજાયેલી ભવ્ય કળશ યાત્રાને આવકારી…

7 hours ago

સોહેલના ડિવોર્સ પર બોલ્યા સલમાન ખાન, ભાઈનો કર્યો બચાવ

Salman Khan | રિયાલિટી શો (Reality Show) 'ધ અલાયન્સ' (The Alliance) ના ફિનાલે વીકમાં (Finale…

16 hours ago

પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશન બહાર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ: ૧૪ ના મોત

 બોમ્બ વિસ્ફોટમાં પાંચ પોલીસ કર્મચારીઓ અને ચાર નાગરિકો સહિત ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા…

1 day ago